SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શોધે સદ્ગુરુ યોગ 313 પ્રત્યેની ભક્તિના ભાવે, તેઓને નમસ્કાર કર્યા છે. તેમના પત્રોમાં ઠેરઠેર સપુરુષ પ્રત્યે પ્રણામ થયેલા જ છે. અર્થાત્ તેમનો આત્મા તે સપુરુષનાં ચરણોમાં સમર્પિત જ હતે. આ કાળે થયેલા, સદૈવ આત્મ-રમણતાની દશામાં લયલીન, સ્વનામ ધન્ય શ્રી મહર્ષિ રમણને પણ કઈ ગુરુ નેતા મળ્યા. તેમને અલ્પ વયે થયેલે આત્મ-અનુભવ એટલે ઊંડે હતો કે તેમાંથી તેઓ કદી બહાર નીકળ્યા નથી. કશા જ પ્રયાસ વગર થયેલ આત્માનુભૂતિ થયા પછી, દિનપ્રતિદિન એ દશા વર્ધમાન જ રહી. એ વધતી દશા માટે પણ પ્રયત્ન કરે પડયે નથી. એમને કેઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રાચીન કાળથી ચાલી આવતી ગુરુ-શિષ્ય પરંપરા જ સાધનાના માર્ગને સ્થિરતા પ્રદાન કરે છે. આપ પણ મહાન સાધક છે તે આપ ગુરુ કેમ નથી કર્યા? ત્યારે મહર્ષિજીએ ગુરુ દત્તાત્રેયના જીવનને સામે રાખી કહ્યું કહ્યું કે તેઓને 24 ગુરુ હતા. ગુરુ દત્તાત્રેયે આ વિશ્વમાં વિલસતા તેમાંથી ઘણું ગ્રહણ કર્યું હતું. એ તના ગુણધર્મોમાંથી પિતે કંઈક પામ્યા હતા. આકાશ હાય, નદી હોય, પર્વત હોય કે પવન હોય. આવા સર્વ તામાંથી મળેલી પ્રેરણાએ એમના સંત જીવનને સંતત્વની કેટીએ પહોંચાડયું ન હતું. તેઓ કહેતા કે જગતમાં આંખ ખુલ્લી રાખીને ચાલે તે સર્વત્ર પ્રેરણાના સ્ત્રોત વહી રહ્યા છે, અને એ સર્વ તને દત્તાત્રેયે ગુરુ માન્યા હતા. મહર્ષિજી કહે છે : “અરૂણાચલ પહાડનાં પ્રબળ આકર્ષણે ઘર છોડીને તેના શરણે આવ્યો છું, અને એ પહાડ જ મારે ગુરુ છે. અરૂણાચલમાં પડેલ અનેક ગુપ્ત રહસ્યએ, મને સબળ પ્રેરણા પૂરી પાડી છે. તેથી - તમને સહુને જડ દેખાતે પહાડ, મારા માટે ચૈતન્યમય છે.” બંધુઓ! આવા ભાવોમાં વિભેર મહર્ષિએ અરૂણાચલ પહાડની ઘણી સ્તુતિઓ ગાઈ છે. આવું સાંભળી, સામાન્ય માનવ મુંઝવણમાં પડી જાય છે. એ સમજી શકતે નથી કે જીવતા-જાગતા મહાપુરૂષ સિવાય પણ કઈ ગુરુ બની શકે. પણ આ તે પહોંચેલા સમર્થ સંતની વાત છે. તેમના હૈયામાં રમતી
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy