SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વતે આજ્ઞા ધાર 295 જ્ઞાની કહી શકાય નહીં. કારણ આત્મજ્ઞાન થયા પછી જ, મુનિદશા પ્રગટ થાય. આ શાસ્ત્રમાં જ શરૂઆતમાં જ્યાં સદ્ગુરુનાં પાંચ લક્ષણે બતાવ્યાં ત્યાં પ્રથમ લક્ષણ જ આત્મજ્ઞાન કહ્યું છે. વળી આચારાંગ સૂત્રમાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે ___ज सम्म ति पासह , तं मेणिति पासह, जमणिति पासह त सम्म ति पासह / જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં મુનિધર્મ છે અને જ્યાં મુનિધર્મ છે ત્યાં નિશ્ચયથી સમ્યકત્વ છે. સમ્યગદર્શન ન થાય ત્યાં સુધી, બાહ્ય વેષ રૂપે મુનિ ભલે થઈ ગયે હોય, પણ અંતરમાં મુનિદશા પ્રગટ થવી જોઈએ તે ન થાય, ગુણસ્થાનના વિકાસ કમામાં એ જ બતાવ્યું છે કે અનાદિને મિથ્યાત્વી જીવ, પહેલાં સમ્યક્ત્વને સ્પશે પછી જ તેનામાં સર્વવિરતિ રૂપ મુનિદશાના પરિણામ જાગે. કોઈ પણ જીવ સમ્યક્ત્વ પામ્યા સિવાય, સીધા છઠ્ઠા ગુણસ્થાને પહોંચી શકે નહીં. ગુણસ્થાન એ જીવની ક્રમશઃ વિકાસ પામતી આત્મદશા છે. એ કઈ પગથિયાં કે પદવી નથી કે વચલાં પગથિયાં છેડી સીધા ઉપર ચડી જવાય. કમશઃ જેમ-જેમ કર્મોને ક્ષય, ઉપશમ થાય છે તેમ-તેમ આત્મશુદ્ધિ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ આવિભૂત થતું જાય છે. માટે જીવ પહેલાં ભેદ-વિજ્ઞાન કરે, પછી જ મુનિપણું આવે. અનાદિને મિથ્યાત્વી જીવ સીધો મુનિદશા પામી ગયું હોય એવું બન્યું જ નથી. મુનિદશા એટલે જ અંતર-આત્મા. જ્ઞાનીઓએ આત્માની દશાઓની દષ્ટિથી ત્રણ પ્રકારના આત્માએ કહ્યા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આનંદઘનજી મહારાજ આ દશાનું વર્ણન કરે છે. આતમબુધ્ધ હે કયાદિકે ગ્રહ, બહિરાતમ અધરૂપ, સુજ્ઞાની કાયાદિને હે સાખીધર રહો, અંતર આતમ રૂપ સુજ્ઞાની સુમતિ..
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy