SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના સુલતાને સિપાઈઓ તથા મજુરોએ તેમના કુટુંબને કતલ કરી લડાઈ કરી. તેમાં જણ બચ્ચે કામ આવી ગયે. 150 પોર્ટુગીઝે માર્યા ગયા. ત્યારથી પોર્ટુગીઝ લોકે શિયાળ બેટને "Ilha dos Mortos" એટલે “મૃત્યુને બેટ” કહે છે. પિટગ દીવમાં : મલેક તુઘાને 10000 માણસનું સૈન્ય તેને સત્કારવા રાખ્યું હતું. વળી યમનમાંથી અમીર મુસ્તફા આવી પહોંચ્યા. તેની કીમતી મદદ મળતાં પોર્ટુગીઝનું પ્રબળ સન્ય ટકી શકયું નહિ. અને માર્ચની પહેલી તારીખે આ હુમલા સામે ટકાશે નહિ તેમ જણાતાં પિોર્ટુગીઝ સૈન્ય ગોવા તરફ પાછું વળી ગયું. મહુવા તથા ઘોઘાની લૂંટ : તેનાથી કોધિત થતાં અને એન્ટનીએ ડ સલ્લાના નામના કેપ્ટનને 60 વહાણ રાખી ચાંચિયાપણું કરવા આજ્ઞા આપી. તેણે મહુવા અને ઘેઘાનાં વહાણે બાળી, તે શહેરે ત્યાં અને ગુજરાતના સાગરકાંઠે આવેલાં બંદરેમાં પણ લુંટ ચલાવી અને અનેક વહાણે બાળી નાખ્યાં. દીવમાં કઈ પણ વસ્તુ બહારથી ન આવે તે માટે એક બીજા કેપ્ટનને પણ તે જ પ્રમાણે સશસ્ત્ર કાફલા સાથે ચેક કરવા નુનેએ નિયુક્ત કર્યો. રૂમીખાન : આ સમાચાર સુલતાનને મળતાં, તેણે મુસ્તફાને ચાંપાનેર બોલાવી અમીર રૂમીખાનને ઈલકાબ આપ્યો અને તેને રાંદેર તથા માહિમ તરફની દરિયાકાંઠાની પટ્ટી જાગીરમાં આપી. થડે સમય રહી તેણે તુઘાન પાસેથી દીવ લઈ તેને આપ્યું. તેથી તુઘાન કાધિત બની ચાંપાનેર આવ્યું. ત્યાં સુલતાને તેને કેદ કર્યો અને ચિતેડની ચડાઈ લઈ જવી હતી તે દિવસે મારી નખાવ્યું. મલેક તુઘાનને અંત : બહાદુરશાહે તેના રાજ્યની પ્રતિષ્ઠા અને અધિકાર વધારનાર મલેક અયાઝના વીરપુત્રને પ્રાણ લીધે અને રૂમખાનને વિશ્વાસુ બનાવ્યા પણ રૂમખાને તુરત જ તેને દગો દીધે. ઈ. સ. ૧૫૩૫માં તે હુમાયુના પક્ષમાં ભળી ગયે અને ઈ. સ. ૧૫૩૮માં ચુનારમાં મરી ગયે.' મલેક તુઘાન રાજનીતિજ્ઞ હતે. તે ગુનેની સાથે મૈત્રીને ડાળ રાખો. તે છતાં પોર્ટુગીઝોને દૂર રાખી સુલતાનની સત્તા વધાર્યો જતો હતે. - ફીરંગીખાન: નુનાના એલચી સીમાએ ફરેરા સાથે આફ્રિકાથી આવેલે આ સાંટી આગે નામે ગુલામ હતો. તે દુભાષિયા તરીકે કામ કરતા. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને ફીરંગીખાનનો ઈલ્કાબ મેળવ્યું. 1. મડુમાં બહાદુર હાર્યો ત્યારે તેને પોપટ લૂંટમાં હુમાયુના હાથમાં આવ્યો. રૂમી હુમાયુની પાસે આવ્યું ત્યારે પોપટ બે કે : “ફટ રૂમખાન હરામખેર.”
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy