SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 260 સૌરાષ્ટ્રને ઈતિહાસ બહેલીમને સેંપી, દીવમાં એક માસ નિવાસ રાખી, તળાજા અને ઘેઘા માગે તે અમદાવાદ પાછા ગયે. ચાર વર્ષ પછી મલેક તુઘાન પાછો દીવનો હાકેમ થયે. મલેક ઇશાક માટે બીજે મત : મલેક ઈશાક માટે જે વર્ણન આપવામાં આવ્યું તે “મિરાતે અકબરી પ્રમાણે છે. પણ અરબી ભાષામાં લખાયેલ હાજી–અદદબીર' નામના ઈતિહાસના ગ્રંથમાં એવી હકીકત મળે છે કે મલેક ઈશાક ગાંડ થઈ ગયે હતે. ગાંડપણના તેરમાં તેણે દ્વારકાને રજપૂત રાજા કે જે સુલતાનને મિત્ર હતે તેની ઉપર હલે કર્યો અને ત્યાંથી જૂનાગઢ આવ્યું. ત્યાં તે એટલો તો બેકાબૂ થઈ ગયે કે તેને કેદ કરે પડયે અને કેદમાં જ તે મરી ગયે. તેની જાગીર તેના ભાઈ તુઘાનને મળી. દીવની ચોથી ચડાઈ : પિગી દીવને હજી ભૂલ્યા ન હતા. ઈ. સ. ૧૫૩૧માં તેઓએ દીવ ઉપર ગવર્નર તુને ડી કુન્હાની સરદારી નીચે ફરી ચડાઈ કરી, પણ સારે નસીબે તે વખતે અરબ એડમીરલ મુસ્તફા ત્યાં આવેલે, એટલે તેની સહાયથી તુઘાને તોપખાનું ગઠવ્યું અને પોર્ટુગીઝનું તેપના ગેળાઓથી સ્વાગત કર્યું. - પાટુગીઝ સૈન્ય: મુને ડી કુન્ડા તેની સરકારની દીવ સર કરવાની ખાસ આજ્ઞા મેળવી ગેવાના ગવર્નરના સ્થાને આવ્યું હતું. તેણે રાતદિવસ કામ ચલાવી વહાણે બાંધ્યાં, ખાનગી આસામીઓને પ્રલોભને આપી તેમનાં વહાણે પણ કાફલા માટે મેળવ્યાં બંદૂકે, તપ અને તલવાર તૈયાર કરાવ્યાં, કેદીઓને યુદ્ધમાં આવવાની રીતે છોડી મૂક્યા અને મલેક તુઘાનને લાંચ આપીને ફેડવાના પ્રયત્ન પણ કર્યા. ઈ. સ. ૧૫૩૧ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે આટલી તૈયારી કરી ગોવાથી 400 વહાણે લઈ તે નીકળે. તેમાં 5000 પિોર્ટુગીઝ, 5000 દેશી સૈનિકે અને 8000 ગુલામે હતા. શિયાળ બેટ : ફેબ્રુઆરીમાં આ નકાસૈન્ય શિયાળ બેટ પહોંચ્યું. સલાહકારોની શિખામણ માન્ય ન રાખી નુનેએ આ બેટ કન્સે લેવા નિશ્ચય કર્યો. શિયાળ બેટ ઉપર 800 સૈનિકે હતા. અને એક હજાર મજૂરે ત્યાં કિલ્લે બાંધતા હતા. તેઓને શરણે થવા નુએ કહેવરાવ્યું પણ તેમણે શરણાગતિ સ્વીકારી નહિ. તેથી ત્રાસ વર્તાવીને સત્તા બેસાડવાને અભિલાષી મુનેએ હુમલો કર્યો. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કમસેરિયેટ. 2. ગેસ્પર કોરિયાના આધારે છે. કોમીસેરિયેટ : એ હીસ્ટ્રી ઓફ ગુજરાત. આ ઈતિહાસકારે પણ 150 પાઉન્ડ ખચી એક વહાણ બનાવ્યું હતું.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy