________________ આચરણને સ્વભાવ સિદ્ધ તિહાસ. જશે. પરંતુ આ દલીલમાં પણ ઝાઝો દમ નથી, કારણ કે એક જ કાર્યથી એના સ્વભાવ ઉપર તે અસર એવી થઈ જતી નથી કે તાત્કાલિક લાભ મેટ હોય છતાં એ છોડી દે; કેમકે જનહિતવાદી હોવાથી તે તો એમ જ માનતે હોય છે કે આચરણના ખરા સિદ્ધાંત પ્રમાણે જ એ વરતે છે. અને એ કાર્યથી જે ટેવ જ પડી જતી હોય તે ઉપયોગિતાની યથાસ્થિત અને બારીક ગણત્રી કરીને કાર્યોનું નિયમન કરવું તે તે જનહિતવાદીનું પરમ પ્રાપ્તવ્ય છે. વળી આ જીજ્ઞાસુ જે તીવ્ર ક૫નાવાળે અને એકાંતવાસી પ્રકૃતિને હશે, તે ઘણું કરીને કેવળ કલ્પનાની સૃષ્ટિમાં જ એ મગ્ન રહેશો. સામાન્ય રીતે માણસને સહજ સમજાય છે કે કેવળ કલ્પનાની સૃષ્ટિમાં રહેવામાં પાપ છે, કારણ કે પિતાના આનંદ સિવાય અન્ય કર્તવ્યો પણ માણસે કરવાનાં છે; અને તે તેનાથી નથી થતાં તે તેને પશ્ચાતાપ થાય છે. પરંતુ જનહિતવાદીને પિતાના સિદ્ધાંતને લીધે તે પશ્ચાતાપ થતો નથી. તેથી અતિ દષ્ટ કલ્પનામાં આસક્ત રહેવાથી એને આનંદની પ્રાપ્તિ થાય છે; અને જે એ આસક્તિ કોઈ કાર્યમાં પરિણમતી ન હોય તે તેથી તેને લાભ પણ રચના થઈ શકતી હોવાથી, જનહિતવાદમાં કલ્પનાનાં પાપ બની શકે છે. અને કલ્પનાદ્રાવક ગ્રંથે બહુ વાંચવાની સામે એ જ આક્ષેપ છે કે તેથી વાંચનારની વૃત્તિઓ કેવળ કલ્પના સૃષ્ટિમાં રમતી હોવાથી વ્યાવહારિક કલ્યાણમાં તેની પ્રવૃત્તિ રહેતી નથી. વળી, દૂરસ્થ પરિણામોનો વિચાર જનહિતવાદમાં પ્રધાનતા ભગવે છે. પરંતુ તેમાં પણ ફેરફાર કરવાની આપણું આ જીજ્ઞાસુને જરૂર લાગશે, નહિ તે બાળહત્યાદિને પરવાને મળશે. જનહિતવાદી કહે છે કે ખૂનથી માટે લાભ થતો હોય તો પણ તે કરવામાં પાપ છે, કારણ કે તેથી જીંદગીની પવિત્રતાને વિચાર નિર્બળ થતો જાય છે. પરંતુ અમુક બાબતમાં માણસે જીદગીના બેદરકાર રહે છે તેથી બધી બાબતમાં તેઓ તેના બેદરકાર થાય છે એ વાત અનુભવથી વિરુદ્ધ છે. પ્રાચીન ગ્રીક લોકમાં દયાની જરી પણ લાગણી વિના ગરીબ માબાપનાં