SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કે નૈતિક વિકાસ કરતાં બુદ્ધિને વિકાસ સમાજને વધારે કામને છે. છતાં એ બનેમાં વાસ્તવિક ભેદ છે એ વાતની ના કણ કહેશે? આ ભેદ આંતરિક આશયથી સ્પષ્ટ થાય છે એમ જનહિતવાદીથી કહી શકાય નહી; કારણ કે તે મત પ્રમાણે કાર્યની સારાસારતાના વિવેક માટે આંતરિક આશયની અપેક્ષા જ બિલકુલ નથી એ પણ તે મતની એક પીડા છે. બેન્જામ કહે છે કે મનુષ્યની સઘળી પ્રવૃત્તિનું પ્રયોજન માત્ર આનંદપ્રાપ્તિ જ હોય છે. પરંતુ તેથી સદાચારી, દુરાચારી અને ઉદાસીન–સઘળાં કાર્યો એક કેટીનાંજ થઈ જાય. આમ સદ્દગુણને જે અપ્રતિમ અને અપૂર્વ પદવી જન–સમૂહ આપે છે તેનો ખુલાસે આ મતથી થઈ શકતો નથી. જેથી માણસોને સુખ થાય તે સારું એમ જે આપણે સ્વીકારીએ તો ઘણાં અનીતિમાન કૃત્યથી પણ માણસને સુખ થતું હોવાથી તેમને નીતિમાન કહેવાને પ્રસંગ આવશે. જે આંતરિક આશયનું ધોરણ આપણે સ્વીકારીએ તે કાર્યદક્ષ આશય અને સદ્દગુણી આશયમાં ભેદ છે એ વાત માનવાની આ મતવાળાઓ ને કહે છે. અને જે ઈરાદાનું ધોરણ સ્વીકારીએ તે સત્ય અને પતિવ્રત્યથી ગમે તેટલું સુખ મનુષ્ય જાતને થતું હોય, પણ પરોપકાર કરવાના ઇરાદાથી એ સદાચાર કે પાળતું નથી. આ પ્રમાણે મનુષ્યના સ્વભાવમાં નૈતિક વૃત્તિને અશ સ્વતંત્ર રહે છે તેને ખુલાસે ' વળી કેટલાક એમ કહે છે કે આંતરવાદીએ તેિજ કહે છે કે અમુક કાર્યોમાં માણસનું સુખ વધારવાનું સામર્થ્ય રહેલું છે, માટે તે કરવાંજ જોઈએ. ઉપરાંત તેઓ એમ પણ કહે છે કે જેમાં એવું સામર્થ્ય ન હોય એવો એક પણ સદાચાર આંતરવાદીઓ બતાવી શકે એમ નથી. હવે શુભેચ્છા કે પરોપકાર, અર્થાત મનુષ્યના સુખમાં વૃદ્ધિ કરવી તે, માણસને * ઈરાદા(Intention) અને આશય (Motive)ને ભેદ બેન્યામ પાડે છે. થરાદામાં કાર્યનું પરિણામ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. જુઓઃ Mackenzie" કૃત Manual of Ethics Bk. 1 ch. 2.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy