________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. બીજાઓ પણ તેમના પ્રત્યે તેવી શુભેચ્છા અને ન્યાય આચરે, તેમના પ્રત્યે પૂજ્યભાવથી જુએ, અને ભવિષ્યમાં તેમને બદલે તેમને મળે એવી આશાથી. પરંતુ વિચાર–સાહચર્યના બળે, શુભેચ્છા અને ન્યાય જે પ્રથમ સાધનજ હોય છે તે પાછળથી આચરણના મુખ્ય ઉદ્દેશ થઈ પડે છે. અને તેથી વિરૂદ્ધ વિચા–સાહચર્યના બળે દુષ્ટ ઈચ્છા અને અન્યાય પ્રત્યે વિરૂદ્ધ લાગણીઓ ઉભી થાય છે. આમ સદ્દગુણ અંતે આપણુ વૃત્તિઓને વિષય બને છે. બીજા કોઈ પણ મૂળ કરતાં, જેને આપણે સદ્દગુણી કાર્યો કહીએ છીએ તેમાંથી, આપણી મોજ અને આનંદને મોટે ભાગે આપણને પ્રાપ્ત થાય છે. બીજાના સદ્દગુણથી આપણને અસંખ્ય લાભ મળે છે. આપણે પિતાને સદ્દગુણ આપણા પ્રત્યે બીજાને પૂજ્યભાવ ઉપજાવે છે, અને તેથી આપણને લાભ થાય છે. તેથી સદ્દગુણની સઘળે પ્રશંસા થાય છે અને દણની નિંદા થાય છે. ધર્મ પણ બોધ કરે છે કે અનહદ્ સુખની આશા સદ્દગુણ સાથે સંકલિત છે અને અનંત દુઃખની બીક દુર્ગુણમાં રહેલી છે. એટલા માટે સુખદ વસ્તુઓના વિચાર સાથે સદ્દગુણ ખાસ કરીને સંકલિત થઈ જાય છે. પરંતુ વિચાર–સાહચર્યના બળે માણસો સદાચારને સ્વતંત્ર રીતે ચાહવા લાગે છે એટલું જ નહિ પણ સદાચાર પાળતાં પછી આપણને આનંદને ઉભરો આવે છે અને દુરાચાર કરતાં તીવ્ર વેદના થાય છે, આનું નામ આપણી મને દેવતા. આ મનદેવતા આપણા જીવનનો મુખ્ય સિદ્ધાંત થાય છે, અને આ મનોદેવતાને નાફરમાન થવા કરતાં આ દુનિયાની સઘળી ચીજોને ભોગ આપ બહેતર છે એમ આપણે શીખેલા હોવાથી, સદાચારના અતિ ઉચ્ચ શિખરે આપણે પહોંચીએ છીએ. પણ એ બધો પ્રતાપ વિચાર–સાહચર્યને છે. આ બુદ્ધિશાળી મત તરફ ઘણું લેકનાં મન આકર્ષાયાં છે; કારણ કે અનુભવવાદીઓને સિદ્ધાંત સમજતાં જે જે મુશ્કેલીઓ આવે છે તેમાંથી કેટલીકનું નિરાકરણ આ મતથી બેશક થાય છે. દષ્ટાંત તરીકે, આંતરવાદીઓ કહે છે કે સદ્દગુણ તરફ આપણે સહેજે આકર્ષાઈએ છીએ અને દુગુણ પ્રત્યે આપણને સહજ અણગમે હોય છે, તેથી કોઈ વાત સારી છે