________________ 440 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને પ્રેમ જે સ્ત્રીઓના ખાસ સદાચાર છે તે અગ્રસ્થાને આવ્યા. શિલ્પકળા પુરૂષના સદાચારને સારી રીતે આલેખી શકે છે, તેથી જ ઘણું કરીને વિધર્મીઓ શિલ્પકાળમાં પંકાતા હતા. પણ ખ્રિસ્તિ કારીગરે ચિત્રકળામાં વધારે પ્રવીણ છે તેનું કારણ કે તે કળામાં સ્ત્રીનાં સૌદર્ય બહુ સારી રીતે દર્શાવી શકાય છે. સ્ત્રીના સદાચારની આ નવી કિંમતને લીધે ખ્રિસ્તિ ધર્મમાં મેરી–પૂજાનું મહાતમ્ય કહેલું છે. ખ્રિસ્તિ ધર્મનું વલણ આમ સ્ત્રીઓનું મહાઓ વધારવાનું હતું. વળી સ્ત્રીઓની ધર્મભાવના વધારે પ્રબળ હોય છે, અને જે ધર્મમાં તેના પ્રવર્તક પ્રત્યે ભકિત રાખવાની મુખ્ય ફરજ કહેલી હોય છે તે ધર્મ પ્રત્યે સ્ત્રીઓ વધારે આકર્ષાય છે. અને આ તો ખ્રિસ્તિ ધર્મમાં હોવાથી સ્ત્રીઓ તે ધર્મ ફેલાવવામાં બહુ સહાયભૂત થઈ છે. ઘણી ખ્રિસ્તિ સ્ત્રીઓએ પિતાના ધર્મને માટે પિતાને ભોગ આપ્યો છે અને ધર્મવીરી થઈ ગઈ છે, અને પિતાના કુટુંબના પુરૂષવર્ગને ખ્રિસ્તિ બનાવવા તેઓ શક્તિમાન થઈ છે. સંત ઓગસ્ટાઈન, સંત ક્રિસસ્તમ, સંત બેસિલ ઈત્યાદિ સંતોને તેમની માતાઓએ જ પ્રથમ ખ્રિસ્તિ કર્યા હતા. તવૃત્તિની હીલચાલમાં અને સખાવતના મહાન કાર્યમાં સ્ત્રીઓએ ઘણે આગળ પડતો ભાગ લીધો છે. સખાવતને સદાચાર સ્ત્રીઓના સ્વભાવને ખાસ કરીને અનુકૂળ છે, અને જો કે ઘણા જમાનામાં અને ધર્મમાં વ્યક્તિઓને દુઃખ મુક્ત કરવાને પ્રયાસ સ્ત્રીઓએ કર્યા છે, પણ ખ્રિસ્તિ ધર્મના ઉદય પહેલાં સ્ત્રીઓના એ સ્વભાવને સંપૂર્ણ અવકાશ મળે નહે. ફેબિઓલા, વોલા, મેલેનિયા ઈત્યાદિ અનેક સ્ત્રીઓએ પિતાનાં આખાં જીવન સખાવતેની વિશાળ સંસ્થાઓ સ્થાપવામાં અને તેમને વિસ્તાર કરવામાં ગાળ્યાં છે, અને એમાંથી કેટલીક સંસ્થાઓમાં દુનિયામાં કેવળ નવીન પ્રકારની હતી. શહેનશાહબાનુ ફલેસિલા ઇસ્પિતાલમાં માંદાની માવજત પિતાને હાથે કરતી, અને એવી સેવા કરવાની તત્પરતા ખ્રિસ્તિ પત્નીનું પ્રથમ કર્તવ્ય ગણાતું. જમાને જમાને વૃત્તિને આ હિલોળે ઉતરતે આવ્યો છે. તેથી કરીને મનુષ્યનું ઘણું દુઃખ ઓછું થએલું છે અને નૈતિક ગૌરવ પણ સાથે સાથે વધ્યું છે.