________________ યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ ઈતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે મનુષ્યનું આચરણ જમાને જમાને બદલાતું આવ્યું છે. વેદકાળમાં યજ્ઞયાગાદિ સત્યાય ગણાતાં હતાં. જૈનના જમાનામાં જીવદયાને ધર્મ સર્વોપરી સત્તા ભોગવતો હતો; અને વચનીપણું ઈત્યાદિ ગુણ સર્વોપરી સદ્દગુણોનું સ્થાન ભોગવતા હતા. આમ થવાનું કારણ શું? એ રૂપાંતર થવામાં કેવા કેવા સંજોગે કારણભૂત થતા ગયા ? અને તેનાં પરિણામ કેવાં કેવાં આવતાં ગયાં ? એ વાત પ્રજાઓના ઇતિહાસમાંથી તારવી આપવાનું કામ નીતિશાસ્ત્રના ઇતિહાસકારનું છે. અને એજ વાત યુરોપીય પ્રજાના ઈતિહાસમાંથી આપણે ખેળવી છે. પરંતુ સામાન્ય રીતે નીતિનું સ્વરૂપ આપણે શાને આધારે બાંધવું? એ પ્રશ્ન આરંભમાંજ ઉભો થયો છે. આ પ્રશ્ન છે કે અધિક અંશે તત્ત્વજ્ઞાન વિષય છે, તથાપિ યુરોપીય પ્રજાની નૈતિક ઉન્નતિના ક્રમની તપાસ દુર્ભાગ્યે આ પ્રશ્નનું નિરાકરણ કરવું સહેલું નથી, કારણ કે વિગતો પરત્વે દાર્શનિકમાં મતભિન્નત્વ ઘણું છે. વળી “આંતર-પ્રત્યક્ષ” અને “ઉપયોગિતાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતને લઈને, છેક પ્લેટ અને એરિસ્ટોટલના કાળથી નીતિનાં ' દર્શનેમાં બે મુખ્ય વિભાગ પ્રચલિત છે. પરંતુ આ બન્ને મતોનાં સ્વરૂપ