________________ - સ્ત્રીઓની પદવી. . 415 બીજી વાત એ છે કે લગ્નની અપવિત્રતાને વિચાર અસ્તિત્વમાં હતા અને એમ લાગતું કે પાદરી વર્ગ પવિત્રતાના શિખરરૂપ હોવાથી બીજા કરતાં તે વર્ગને લગ્નની બાબતમાં ઓછી છૂટ હોવી જોઈએ. આ વૃત્તિનું પ્રથમરૂપ એ થયું કે પાદરીના બીજા લગ્નમાં કે વિધવા સાથે તેના લગ્નમાં ગેરવાજબીપણું અને પાપ છે એવી દઢ માન્યતા ઉત્પન્ન થઈ. ધર્મ-સંસ્થાના છેક પ્રાથમિક કાળથી આ માન્યતા અસ્તિત્વમાં આવી હોય એમ જણાય છે, અને ઘણું સૈકાઓ પર્યત એ માન્યતાને એક અવાજે સૌ વળગી રહ્યા હતા. પછી એમ સમજાવા લાગ્યું કે પરણેલા પાદરીએ પાદરી થયા પછી પિતાની સ્ત્રીના સમાગમમાં વિશુદ્ધ રહેવું એ સદાચાર છે; પછી એમ સમજાયું કે તેમ કરવું એ કર્તવ્ય જ છે. પ્રથમ તે આ નિયમ પરત્વે સખ્તાઈ બહુ થતી નહિ; પરંતુ ચોથા સૈકામાં એ સિદ્ધાંત સ્પષ્ટ થયો કે પાદરીઓએ પરણવામાં પાપ છે; છતાં પાદરીઓ પરણતા હતા, અને સામાન્ય રીતે તેમનાં લગ્ન ઉઘાડે છોગે થતાં હતાં. ધર્મ સંસ્થાના અધિકારીઓએ આ બાબતમાં સમય જતાં જે જે જુદા જુદા અભિપ્રાય બાંધ્યા હતાં તે વાત નીતિના ઈતિહાસમાં એક અતિ વિલક્ષણ પૃષ્ટ છે, અને નિયમે કરીને કુંવારાપણાની વ્યવસ્થા બાંધવા જતાં કેવાં માઠાં પરિણામ આવે તેને પ્રબળ પૂરા આ પૃષ્ટ છે. જે લેખકને મધ્યકાળના ઈતિહાસની પૂરી પાધરી ખબર નથી તેઓ સામાન્ય રીતે એમ માને છે કે જે જમાનામાં લેકની આસ્થા કંપિત થઈ નહતી તે જમાનામાં નીતિની વિશુદ્ધિ ઘણું મોટી હતી અને તેથી ધર્મ-સુધારણાના આગળના એક સૈકામાં મઠોમાં જે ઘોર અનીતિ ચાલતી હતી તે નવી જ દાખલ થઈ હતી. પણ આ માન્યતા કેવળ ભૂલ ભરેલી છે. ધર્મ સંબંધી લેખકે બધા એક સરખી રીતે સાક્ષી પૂરે છે કે આઠમા અને તેની પછીના ત્રણ સૈકામાં ધર્મ-સંસ્થામાં પિસી ગએલી અનીતિ બીજા કોઈ કાળ કરતાં ઓછી નહતી. અર્થાત ધર્મની આવી દ્રષ્ટિને લીધે પાદરી વર્ગમાં અનાચાર ઘણો વધી ગયો હતો અને લગભગ આખા દશમા સૈકામાં તે પિપ પોતે પણ ઘણી દુરાચારી જીદગી ગાળતા હતા. જંગલી રાજાઓ નાની ઉમરે પરણતા, કેવળ સ્વછંદી