________________ સ્ત્રીઓની પદવી. 405 પત્નીની બેવફાઈ બાબત એ ફરિયાદ કરે છે તે ગેરવાજબી છે એ એક વખત ન્યાયની કચેરીએ પણું ઠરાવ કર્યો હતે. વળી એક બીજો ફેરફાર સામ્રાજ્યના પાછલા સમયમાં ઝાંખો ઝાંખો પણું દૃષ્ટિગોચર થતા હતા. લેકેની માન્યતાનું એવું વલણ થવા લાગ્યું હતું કે કોઈ પણ જાતના લાભ ગેરલાભ ઉપર દષ્ટિ રાખ્યા વિના પવિત્રતાની ખાતર શરીરની પવિત્રતા સાચવવી એ દરેક માણસની ફરજ છે. નવિન પ્લેટ મતના અને પિથાગોરીયન તત્ત્વજ્ઞાનના પ્રચારને લીધે આ પરિણામ આવવા લાગ્યું હતું. આ મતમાં શરીર અને તેના સઘળા વિકારો જાતે જ ખરાબ મનાતા હતા અને તેથી તેમની ભ્રષ્ટતાથી દૂર રહી વિશુદ્ધ રહેવું એ સદાચાર છે એમ તે મત કહેતા હતા. આનું અતિ અગત્યનું એક પરિણામ એ આવ્યું કે પરણ્યા પહેલાંની સ્ત્રી કે પુરૂષની અનીતિ પણ નિંદ્ય ગણવા લાગી. પ્રથમ એ વાતને, અને વિશેષ કરીને પુરૂષની એવી અનીતિને લેક મત નિઘ ગણાતે નહિ, અને કદિ નિંદ્ય ગણતા તે એટલે થોડે કે તેની વાસ્તવિક અસર કાંઈ થતી નહિ. મોટે કે તે એવી અનીતિનું વાજબી પણું પણ સ્પષ્ટ રીતે કહે. સિસેરે કહેતા કે " જે કઈ એમ ધારતું હોય કે યુવાન પુરૂષે વેશ્યાના ફંદથી કેવળ અલગ રહેવું જોઈએ તે તેને તે વિચાર ઘણે સખત છે. તેના મુદ્દાની ના પાડવા હું તૈયાર નથી, પણ આપણું જમાનામાં જેવી છૂટ છે તેનાથી તેનું કહેવું જૂદું થાય છે એટલું જ નહિ પણ આપણા બાપદાદાના રિવાજ અને છૂટથી પણ તે જુદો પડે છે. ખરેખર આ વાત ક્યારે નહોતી બનતી? અને ક્યારે એ વાત નિંદ્ય ગણાતી હતી ? જ્યારે તેની છૂટ નહતી ? જે અત્યારે કાયદેસર છે તે ક્યારે કાયદેસર નહોતું ?" અર્થાત, લેકની વૃત્તિઓ તે કાળે કેવી હતી અને ખ્રિસ્તિ ધર્મ, વિશેષ નહિ તે છેવટે લોકેના વિચારમાં જ કેવા મોટા ફેરફાર કરી નાંખ્યા હતા તે આ ઉપરથી સહજ જણાઈ આવશે. એપિકટેટસ કે જે બીજી ઘણી ખરી બાબતે વિષે અત્યંત સખ્ત આઈક મતને હતો તે પણ પિતાના વિષયોને પરણ્યા પહેલાં એવા સંબંધ બાંધવાથી અલગ રહેવાની અથવા છેવટે જે એવા સંબંધ વ્યભિચારી કે ગેરકાયદેસર ગણાય