SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓની પદવી. 403 સ્વામીને પાછું આપતાં મરતાં મરતાં તે બોલીઃ “મારા વહાલા, એનાથી દુ:ખ નથી થતું.” શરૂઆતના સીઝર રાજાઓ અને ડોમિશિયનના સમયમાં રોમની ઘણી સ્ત્રીઓ આવી વફાદારી બતાવતી. દેશનિકાલના વિચારથી રમવાસીઓની કલ્પના થરથરી જતી, પરંતુ દેશનિકાલમાં પણ રોમની ઘણું કુલીન સ્ત્રીઓ પિતાની રાજીખુશીથી સ્વામીની સાથે જતી; અને કેટલીક તે. એના મૃત્યુ પછી જીવવાની પણ ના પાડતી. ઉપર કહેલી એરિયાની દીકરી કે જેનું નામ પણ એરિયા હતું તે તેના સ્વામી શીઆની પરાક્રમી જીંદગીની વફાદાર સાથી રહી હતી અને જ્યારે એનો સ્વામી મૃત્યુ પામે ત્યારે પિતાની દીકરીઓને ઉછેરવાની ખાતર જીવવા માંડ માંડ એને સમજાવી હતી. એની દીકરી પણ પિતાના સ્વામી હેલૂિડિયસની સાથે બે વાર દેશનિકાલમાં સાથે ગઈ હતી, અને સ્વામીના મૃત્યુ પછી તેનો બચાવ કરવા માટે ફરી પાછી પિતે દેશનિકાલ પામી હતી. આમ સ્વામી દેશનિકાલ થતે તે સ્ત્રીઓ તેની સાથે જતી, અને તેના દુઃખમાં ભાગ લઈ તેને દીલાશે દેતી. અને આવા દાખલા અનેક બનતા. સામ્રાજ્ય સમયના આખર ભાગમાં સ્ત્રીઓની ભ્રષ્ટતા દાબી દેવા માટે કાયદા થવા લાગ્યા હતા. ડોમિશિયને સૃષ્ટિ વિરૂદ્ધ મૈથુન સામે આગળ થએલો કાયદે અમલમાં મૂકવા માંડ્યો હતો. વેસ્પેશિયને પિતાના દરબારનો ખરચ કમી કર્યો હતો. જે માણસે વ્યભિચાર કરે તેમને સાથે બાંધી મેક્રીનસ બાળી મુકાવતે. સ્ત્રી અને પુરૂષો સાથે હતાં તે રિવાજને હેફિયને ગુનારૂપ ઠરાવ્યું હતું, પણ કેન્સેન્ટાઈનના સમયમાં જ તે નાબુદ થયો હતો. આ અને એવા બીજા દુરાચારની અત્યંત ભ્રષ્ટતા એન્ટોનાઇન રાજાઓ ગાદીએ આવ્યા પછી ઘણું કરીને બહુ ઓછી થઈ ગઈ હતી: પરંતુ જ્યારે ખ્રિસ્તિ ધર્મ બળવાન થયો, રાજધાની ઇસ્તંબુલમાં ગઈ, અને જંગલીઓની છતથી લેકે નિર્ધન થઈ ગયા, ત્યારે જ આ ભ્રષ્ટતાની દુર્દશાને કાંઈક અંત આવ્યો.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy