SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ 400 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. છે. તે ખાત્રી આપે છે કે રેમમાં તે વખતે એક સ્ત્રી એવી હતી કે તેને તે વખતને ધણી ત્રેવીસમે હતું અને તેના એ ધણુની તે એકવીસમી સ્ત્રી હતી. આવા બનાવે તે બેશક બહુ જ થેડા બનતા હશે. તથાપિ પરણે તર અંદગીનું સ્થાયીપણું બહુ ગંભીર પ્રકારે ઓછું થઈ ગયું હતું એ વાત તે ચોક્કસ છે. પરંતુ કાયદામાં કરેલા ફેરફારથી રેમનું કૌટુંબિક જીવન આવી ભ્રષ્ટ દશાએ પહોંચ્યું હતું એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ગણાશે. લેકમત જ્યાં વિશુદ્ધ હોય, ત્યાં લગ્ન કેદની ઘણી છૂટ હોવા છતાં તેનું ગંભીર પરિણામ કદિ ન પણ આવે. સ્ત્રીને ત્યાગ કરવાને ધણીને હક છતાં પ્રજાતંત્રના સમયમાં લોછેદ કવચિત જ કઈ કરતું હતું. લગ્નચોદની છૂટી હોવાને વારંવાર પરણતા કેઈ સારા માણસની નિંદા કરનારા માંથી ઘણુંખરા, જે લ શ્કેદની સખત મનાઈ હેત તે પરણત જ નહિ અને વ્યભિચાર કે અયોગ્ય સંબંધમાં પ્રવૃત્ત થાત. રેમમાં એ વખતે ભ્રષ્ટતાનું જબરું પૂર આવ્યું હતું અને કાયદાની વ્યવસ્થા ગમે તેવી હેત છતાં કૌટુંબિક જીવનમાં એ ભ્રષ્ટતા પેઠા વિના રહેતી નહિ. અતિ ભ્રષ્ટતાના જમાનામાં લશ્કેદની મનાઈથી પરણેતર જીંદગીની વિશુદ્ધિ કયાંઈ નિર્ભય થઈ નથી, અને રેમમાં છેદની ઘણી છૂટ હોવા છતાં સ્ત્રીઓને સદાચાર ત્યાં ઓછો નહતો. અમે આગળના પ્રકરણમાં બતાવ્યું છે તે પ્રમાણે પ્રાચીન જીવનમાં દશ્ય થતા નીતિના મુકાબલા અર્વાચીન સમાજોના મુકાબલા કરતાં ચડી જાય છે અને અર્વાચીન સમયમાં જે પ્રજાઓ ઘણું અજ્ઞાન અને ભ્રષ્ટ હોય છે તેમાં તેજસ્વી અને વીર્યવાન માણસેના સમૂહ આપણે બહુ જ છેડા જોઈએ છીએ. આ વાતને ખુલાસો એમ કહી અમે કર્યો છે કે પ્રાચીન કાળનાં નૈતિક બળમાં દુરાચારને દાબી દેવા કરતા સદાચારને ખીલવવાની વધારે ગ્યતા હતી, તેથી નીતિના અધિકારી જનેને અતિ ઉન્નત બનાવી તેમનું જીવન ઉત્તમ નમુના રૂપ તેઓ બનાવી શકતાં, પરંતુ ભ્રષ્ટની ભ્રષ્ટતા નાબુદ કરવા કે ઓછી કરવા તેઓ અસમર્થ નીવડતાં. બાદશાહી
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy