________________ 390 યુરોપીય પ્રજાની આચરણને ઈતિહાસ. આવ્યું છે તેમ તે જમાનામાં પણ આ વર્ગને મોટો ભાગ અધમ ભ્રષ્ટતામાં પિતાનું જીવન ગાળતા. તેમનામાંથી ઘણી ડી એકંદરે વારાંગનાની ઉંચી સ્થિતિએ પહોંચી શકતી અને આબાદ થતી, અને તેમાંથી પણ ઘણી ખરીમાં, સામાન્ય રીતે જે લક્ષણે તે વર્ગમાં સઘળા જમાનામાં જોવામાં આવે છે તે લક્ષણે ઘણું કરીને દેખાઈ આવતા. બેવફાઈ, ધન હરણની અત્યંત લાલસા અને અતિ ખરચાળ મજશેખ, તેમનામાં સાધારણ હતાં. છતાં સારા દાખલા પણ એ વર્ગમાંથી મળી આવે છે, એ વાત પણ નિઃસંશય છે. સમાજને બહિષ્કાર તેમને નડતો નહિ અથવા તેથી તેઓ હલકી ગણાતી નાહ. અને જે કે વિવાહિત સ્ત્રીઓના જેટલું માન તેમને કદિ મળતું નહિ, તથાપિ સામાન્ય રીતે લેકમાં એવી માન્યતા પ્રચલિત હતી કે ગૃહ–પત્ની અને વારાંગનાના પ્રદેશ અને કર્તવ્ય સંસારમાં ભિન્નભિન્ન છે અને દરેકમાં પિતાપિતાના ખાસ ગુણો રહેલા હોય છે. લીના નામની વારાંગના હારમોડિયસની મિત્ર હતી અને પોતાના મિત્રનું કાવત્રુ પ્રકટ કરવા કરતાં જુલમને ભોગ બની મરવાનું તેણે પસંદ કર્યું હતું, અને એથેન્સના લેકેએ તેના નામના અર્થથી દરાઇ, તેની દઢતા જાળવવા જીભ વિનાની સિંહણનું એક બાવલું ઉભું કર્યું હતું. બેંકિસ નામની વારાંગનાનાં નિસ્વાર્થ પ્રેમ અને સભ્ય રીતભાતની ખાસ નેંધ લેવામાં આવી છે અને એક અતિ કોમળ પત્ર-લેખનમાં તેનું ચારિત્ર્ય વર્ણવાયું છે અને તેના મૃત્યુથી થએલ શોચ બતાવેલ છે. ગ્રીક જીવનનું એક યથાસ્થિત ચિત્ર આપતાં ઝીનો ફન વર્ણવે છે કે થીઓડોટા નામની વારાંગનાની સૈન્દર્ય ખ્યાતિ સાંભળીને તે વાત સાચી છે કે કેમ ? તેની ખાત્રી કરવા સોક્રેટિસ પોતાના શિષ્યને લઈ તેને ઘેર ગયો અને તેના ઘરને વૈભવ જોઈ તે શી રીતે એને પ્રાપ્ત થશે તે બાબત શાંત, ઠાવકા પ્રશ્ન પૂછવા લાગે અને પછી પિતાના આશકેને પિતામાં આસક્ત રાખવા કયા કયા ગુણોને એણે કેળવવા જોઈએ તેનું ખ્યાન કરવા એ લાગ્યો. સેક્રિટિસ એને કહે છે કે ઉદ્ધત માણો આવે તે ઘરનાં બારણાં એણે બંધ કરવાં; તેના આશકે માંદા પડે તે તેમની સેવા એણે કરવી; કોઈ