SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 367 જરા વિગેરે તાબે ખરાથી શાંતિ હોવું વતા હતા. છતાએલા લેકોને મારી નાખવાને વિજેતાને હક્ક ગણો હતો. ગ્રીક લેકેએ અને રેમન લેકાએ આખાં શહેરનાં શહેર બાળી મૂકી તેના બધા રહેવાસીઓની નિર્દય કતલ કર્યાના દાખલા પણ મળી આવે છે. લડાઈમાં પકડાએલા કેદીઓને જંગલીઓ મારી નાખતા હતા; પ્રાચીન કાળને સુધરેલે જમાને તેમને ગુલામ બનાવતા હતા, પણ તેમાંથી ઘણું ખરા તરવારના પ્રાણઘાતક ખેલમાં મૃત્યુ પામતા હતા. તે સમયમાં પણ કવચિત દયાનાં કિરણે નજરે પડે છે. પ્લેટ કહે તો કે ગ્રીક કેદીઓને અમુક રકમ લઈ છોડી મૂકવા જોઈએ. રેમમાં કઈ પણ વિગ્રહનું વાજબીપણું બહુ બારીકીથી તપાસાતું હતું. સિસેરો વિગેરે કહેતા કે લડાઈનું પ્રયોજન અંતે સલાહ શાંતિ હોવું જોઈએ. જે પ્રજા કે લશ્કર રેમની સત્તાને તાબે ખુશીથી થતાં તેમના ઉપર રેમના લેકે દયા રાખતા હતા. કેઈ શહેરમાં પિતાના એલચીનું અપમાન થતું, અથવા વિશ્વાસ ભંગ કે ક્રૂરતાનું કાંઈ ખાસ કામ કે શહેર કરતું, તે રેમના લેકે તે શહેરને જમીનદોસ્ત કરી શહેરીઓને કાપી નાખતા; સિવાય લડાઈને ત્રાસ તેઓ વરતાવતા નહિ. ખ્રિસ્તિ ધર્મની અસરથી આ બાબતમાં ઘણું અગત્યના ફેરફાર થયા છે. પ્રથમ તે તરવારના પ્રાણઘાતક ખેલે બંધ થયા અને તેથી હજારો કેદીઓના પ્રાણ બચવા લાગ્યા. વળી કેદીઓને ગુલામ બનાવવાના રિવાજને નિરંતર તે ધર્મ વડત, તેથી ધીમે ધીમે સઘળાં રાજ્યમાં માંહેમાહે એ નિયમ બંધાઈ ગયે કે કઈ ખ્રિસ્તિને ગુલામ કર નહિ, પરંતુ લડાયક સદાચારનું નવીન દષ્ટિબિંદુ ઉપજાવીને એ ધર્મ આડકતરી રીતે પણ અસર કરી છે. શરીર પુરૂષમાં બળ અને ઉત્સાહ જોઈએ અને સાથે સંતની દીનતા અને કમળતા પણ જોઈએ, એ તે ધર્મનો ઉપદેશ હતો. આમ ધર્મ ભાવના અને લડાયક વૃત્તિનો સંગ થતાં સદાચારનું એક નવું જ દષ્ટિબિંદુ ઉભું થયું, અને તેની અસર અર્વાચીન સમયના સભ્ય ગૃહસ્થમાં પણ જોવામાં આવે છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy