________________ 360 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સ્વીકારવું જ પડશે કે ખ્રિસ્તિઓ પિતાનું કાર્ય કરવામાં બહુ કુશળ હતા. પોતાના પ્રિયતમને ગુમાવી બેઠેલી વિધવા હજી તે રેવા કકળવામાંથી માથું પણ ઉંચું કરી શકતી નથી તેવામાં આ ગુરૂ જઈ કહે કે એ રડે છે દરમ્યાન તેને ધણું નરકની જવાળામાં બહુ દુઃખી થાય છે અને. અને ગુરૂને પૈસાની બક્ષીસ આપતાં તે છુટી શકે એમ છે; તે તેમાં કેવી કુશળતા છે તે વાંચનારે પોતે જ વિચારી લેવું. આ બધા ધાર્મિક રૂપાંતર રેમના રાજ્યની પડતીથી તે શાર્લમેનના સમય દરમ્યાન થયા હતા; અને એ સમય દરમ્યાન લેકેની નીતિ કેવી હતી તેને વિચાર કરવા બેસીએ છીએ તે પ્રથમ મુશ્કેલી એ આવે છે કે તે સમયને વિશ્વાસપાત્ર ઈતિહાસ મળતું નથી, તથાપિ લેખકેના લેખ ઉપરથી જણાય છે કે સાતમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં અને તેની આગળના બે સૈકામાં રાજ્યમાં ગેરવ્યવસ્થા અને જુલમ ઘણે થતો હતો. ઇટાલીમાં વિધર્મીઓની રૂઢીઓ અને ટેવો પાછી કાંઈક દાખલ થઈ હતી, પણ ગેલના જંગલી લકે કાંઈ સુધર્યા નહોતા. ધર્મગુરૂઓ પણ દુરાચારી થઈ ગયા હતા. તેઓ અકરાંતીઆ બની ખૂબ ખાતા અને ઉપર દારૂ ડોસી ધાર્મિક ક્રિયાઓ કરતા. એક ધર્મગુરૂએ પિતાના તાબાના પાદરીની ખાનગી મિલ્કત માગી; અને ના પાડતાં એને જીવતાં દાટી દેવાને એણે હુકમ કર્યો. પ્રારબ્ધના યોગે કબરમાંથી તે છટકી શક્યો હતો, પણ તેની રાડબરાડનું પરિણામ માત્ર એટલું જ આવ્યું કે પેલા ધર્મગુરૂને સહેજ કપકે મળ્યો. - ધર્મગુરૂઓ અધમ રાજાઓની ખુશામત કરતા હતા અને રાજાઓ જુલમ કરતા હતા. બ્રુનેહ નામની રાણીની ખુશામત મહાન ગ્રેગરી ધર્મગુરૂ પણ કરે; અને તે રાણુને જુલમ પણ ત્રાસદાયક હતે. હથીઆર પણ ધર્મગુરૂઓ વાપરતા અને રાખતા. ઓછામાં ઓછું એક ખૂન પણ ન કર્યું હોય એ કઈ રાજા નહોતો. અને ખૂન પણ રીબાવી રીબાવીને ત્રાસદાયક રીતે થતું. એક ધર્મગુરૂને કાંટાની પથારી ઉપર સુવાડીને દૂર દેશનિકાલ કરવામાં આવ્યો હતો. એક રાજાએ બળવો કરવા માટે