________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 355 પાપ મુક્તિને અર્થે સંસ્થાને નાણું વધારે મળતું ગયું અને પાપ–ક્ષમાની ચિઠ્ઠીઓને ગેર ઉપયોગ લ્યુથરના બળવાનું પ્રથમ કારણ હતું. પરંતુ તે પહેલાં ઘણું સૈકાઓ સુધી મઠની સંસ્થાઓનાં સફળ છળકપટ ચાલુ રહ્યાં હતાં. ધર્મની ધાસ્તી બતાવી એ સંસ્થા પૈસો ભેગે કરતી અને આમ ખ્રિસ્તિ પ્રજાઓની સમૃદ્ધિને મેટે ભાગે સંસ્થાના ખજાનામાં ચાલ્યો ગયો. ધર્મની ધાસ્તી પરત્વે કેથોલિક સિદ્ધાંતનાં મુખ્ય લક્ષણે સ્પષ્ટ હતાં. તેઓ કહેતા કે તે સંસ્થાની બહારના બધાં માણસ નરકની નિરંતર જવાળાના ભોગ બની અસહ્ય દુઃખ ભોગવશે, અને પરલોકનાં તીવ્રતમ દુઃખની પાસે આ દુનિયાનાં અત્યંત તીવ્ર દુઃખ પણ કાંઈ હિસાબમાં નથી. માની સંસ્થાએ આ નિષ્ફર વાત ઉપાડી લીધી અને કથાઓ દ્વારા તેનાં તીવ્ર ચિત્ર આપવા લાગી. જંગલમાં ફરતાં ફરતાં સંત મેકેરિયસે એક ખોપરી જોઈ. એણે પિતાને દંડ એને માર્યો એટલે ખોપરી બોલવા લાગી. “ખ્રિસ્તિ ધર્મ આવ્યા પહેલાં હું વિધર્મીઓને ધર્મ ગુરૂ હતું. હવે અમે બધા આકાશ જેટલી ઉંચી અગ્નિની જવાળાનું અસહ્ય દુઃખ નરકમાં ભોગવીએ છીએ. અમારી પીઠપીઠ બાંધી અમને દુઃખ દેવામાં આવે છે, તેથી એક બીજાનું મહ પણ અમે જોઈ શકતા નથી. બીજું તે રહ્યું, પણ અમે એક બીજાનું અહીં માત્ર જોઈ શકીએ એવી પ્રાર્થના તમે કરે તે ઘણું સારું, કે અમને એટલે દીલાસે તે મળે.” ઈત્યાદિ, પછી તે સાધુઓના ઉદ્યોગથી પ્રત્યક્ષ દર્શનનું આખું સાહિત્ય ઉભું થયું; અને મરેલા માણસે નરકનાં દુઃખ જોઈ પાછાં આવી તેમનું વર્ણન કરવા લાગ્યાં. એક સ્ટીવન નામના માણસનું મૃત્યુ ભૂલથી થઈ ગયું; અને નરકને બારણે જતાં ભૂલની ખબર પડી, પણ નરક જેવાની એને રજા મળી. તેથી એણે નરક જોયું અને તે પાછો આવ્યો ત્યારે બીજે દિવસે બીજે સ્ટીવન મરી ગયો. નરકને દરવાજે જવાલામુખી પર્વત હતા, અને એક સાધુએ નરકમાં રોમના એક પાદશાહને જે હતો. પરંતુ આથી પણ વિશેષ ભયાનક અને અત્યંત કમકમાટી ઉપજાવે એવું નરકનું ચિત્ર તેઓ આપતા હતા. નરકની મધ્યમાં લાલચોળ સાંકળથી જકડીને સેતાનને