________________ 346 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. મહારાજ્ય જુદું પડયું; જંગલીઓએ ચડાઈ કરી અને પછી તે ખ્રિસ્તી થયા. ઇત્યાદિ ઐતિહાસિક બનાવોને લીધે કેથલિક નમુને પાછે સપરિ થયો. જંગલીઓની ચડાઈઓ પછી લાગવા માંડેલા આંચકાના સમયમાં, ધર્મ સિવાય સાહિત્યના ક્ષેત્રમાં અન્ય પ્રવૃત્તિને લગભગ લેપ થયો, અને મઠમાં માત્ર સંતનાં જીવને અને ઉપદેશાત્મક ભાષણે જ લખાવા લાગ્યાં. યુરેપમાં વિધર્મ ગ્રંથને અભ્યાસ લગભગ બંધ થઈ ગયો, અને એબીલાર્ડના યુક્તિવાદ અને ધર્મ-યુદ્ધોની પછી બનેલા બનાવથી જ્યાં સુધી સાહિત્યનું પુનરૂજજીવન થયું નહિ ત્યાં સુધી એવી જ સ્થિતિ ચાલુ રહી. આ અરસામાં લાટીન ભાષા પવિત્ર ગણાવા લાગી એટલીજ સેવા વિધમાં સાહિત્યની કેથલિક સંપ્રદાયે ઘણું કરીને કરી છે. સાહિત્ય પરત્વે જીજ્ઞાસાની કેવળ ગેરહાજરી હતી એ એટલાથીજ સિદ્ધ થાય છે કે ગ્રીક ભાષા સામે પણ લગભગ કોઈ જોતું નહિ. લાટીન ભાષામાં પણ ઉત્તમ ગ્રંથને અભ્યાસ થતો નહિ; તેના લેખકે તે નરકની ઉગ્ર જવાળામાં પ્રજવલિત થતા હતા. મઠના સાધુઓ પિતાને પંડિત–મન્ય માનતા, અને વિધર્મી લેખકે પ્રત્યે માનની દૃષ્ટિ તેમને રહેતી નહિ. વળી પૃથ્વીને કાળે કાળે પ્રલય થવાની માન્યતાને લીધે વ્યાવહારિક જ્ઞાનની કાંઈપણ અપેક્ષા તેઓ રાખતા નહિ. કેટલાક સાધુઓને એવો રિવાજ હતો કે જ્યારે તેઓ મુનિવ્રત લેતા ત્યારે તેમને વરછલ, હેરેસ અથવા એવું બીજું કઈ વિધમાં પુસ્તક જોવાની ઈચ્છા થતી ત્યારે કૂતરાની પેઠે પિતાને કાન ખંજવાળતા, કારણ કે તેમના વિચાર પ્રમાણે વિધર્મીઓને કૂતરાની ઉપમા જ યોગ્ય હતી. એવું કહેવાય છે કે કેટલીક વખત યુરોપમાં પુસ્તકશાળાઓ માત્ર મઠમાં જ હતી. અને તેથી કરીને વિધમ પુસ્તકની હસ્તલિખિત પ્રતે ત્યાં જ જતી હતી, પરંતુ એ ઉપરથી એમ સિદ્ધ થતું નથી કે જે મડે નહોત તે એવી પુસ્તકશાળાઓ અસ્તિત્વમાં જ આવત નહિ. સાધુઓ કવચિત્ કવચિત હસ્તલિખિત પ્રતોની નકલ કરવાની મેહેનત કરતા, પરંતુ પ્રાચીન ચર્મપિત્રો ઉપરથી કેટલાક લખેલે ભાગ ભુસી નાખવાની પણ મેહેનત તેઓ કરતા કે જેથી કરીને પિતાની કથાઓ ત્યાં દાખલ કરી શકાય; વિશે કરીને પાછલા સમયમાં એવું બનતું હતું.