________________ * કન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. ઈતિહાસ સમજવા માટે બુદ્ધિની જૂદી જૂદી તૈયારીઓ જોઈએ છીએ અને તેથી એક જ જાતની તૈયારીથી જૂદા જૂદા ઈતિહાસ સમજતાં ભૂલો. થશે; પણ તે ભૂલમાં પાપ છે એમ કહેવું વાજબી નથી. પરંતુ બે બાબતમાં બુદ્ધિની ભૂલને ગુનારૂપ ગણી શકાય છે. પ્રથમ તે સત્યના ખરેખરા પ્રેમમાં મનની જે નિખાલસ અને નિસ્પૃહ અવસ્થા જોઈએ છીએ તેની કાંઈક કે કેવળ ગેરહાજરીને લીધે એવી ભૂલ ઘણું વાર થાય છે. પિતાના સ્વાર્થી ઉદેશની ખાતર મનમાં કાંઈક અને મેહે કાંઈક એવું બોલનારા માણસે તે લેકે ધારે છે તેના કરતાં બહુ ઓછા ઘણું કરીને દુનિયામાં હોય છે. પરંતુ ગમે તે કારણને લીધે જે માનવાની પિતાને ઈચ્છા હોય છે તેમાં ખરું ખોટું શું છે તે જાણવાને કાંઈપણુ. પરિશ્રમ કર્યા વગર શુદ્ધ બુદ્ધિથી મક્કમપણે તે માની બેસનારાની સંખ્યા ગણી શકાય એવી નથી. પિતાના ભૌતિક શ્રેય ઉપરાંત બુદ્ધિના વિલાસ કે વિચારના પ્રવાહ એવા ઘણા હોય છે કે જેમાં ચાલવું માણસને સહેલું અને આનંદજનક લાગે છે, અને જેનો ત્યાગ કરે તેને મુશ્કેલ અને દુઃખદાયક લાગે છે, પરિશ્રમને અણગમ, નિશ્ચિતતાને પ્રેમ, નિયમિત વ્યવસ્થાને મેહ, વિકારનું વલણ, કલ્પનાની સંગતિઓ; તેમજ સામાજીક સ્થિતિની હલકી અસરે, કૌટુંબિક સુખ, ધંધાનું હિત, પિતાના પક્ષની લાગણી અથવા વ્યાવહારિક પદ્ધીને લેભ -આ બધાં એવી જાતનાં છે. ઘણા ખરા માણસમાં સત્યને પ્રેમ એટલે બધે નિર્બળ હોય છે અને માનસિક વેદના સામી મળતાં એટલા બધા નાખુશ થાય છે કે કોઈ પણ જાતનો યત્ન કર્યા વગર પિતાના અંતના પ્રવાહને અનુકૂળ પિતાને અભિપ્રાય બાંધી બેસે છે, પિતાના અભિપ્રાયને વિરૂદ્ધ જે દલીલ કે અભિપ્રાય હોય તેમાંથી પિતાના મનને પાછું ખેંચી લે છે, અને આમ પિતાને જે માનવાની ઈચ્છા હોય છે તેની સત્યતાને નિશ્રય તુરત તેઓ કરી બેસે છે. સત્યના માર્ગમાંથી અવળે રતે દોરનાર આવાં કારણોને સત્યના શોધકે સંભાળથી દૂર રાખવાં જોઈએ. અને કોઈ માણસ જે તેમ ન કરે અને પછી બુદ્ધિની ભૂલ થાય તે તેમાં ગુનો છે, અર્થાત આળસ કે રાત પક્ષપાતથી થતી ભૂલમાં પાપ છે.