________________ " કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 313 શુદ્ધ નીતિને તે ઉપદેશ કરતા અને પ્રબળ પ્રયોજનવડે તે નીતિ અમલમાં મૂકતાં તેથી ચોતરફ એની અસર થયા વિના રહેતી નહિ. ધર્મગુરૂઓ દઢ મનના અને રાજ્યમાં વગવાળા હતા. તેમણે નીતિની પ્રબળ વ્યવસ્થા બાંધી; સારાં સારાં માણસે આ વ્યવસ્થા તરફ ખેંચાણાં, નબળા મનના પણ સાલસ સ્વભાવનાં માણસોનાં જીવન તેથી નિશ્ચિત થયાં, અને દુરાચાર ઉપર તેથી કાંઈક અંકુશ મૂકાઈ. દુરાચારી માણસને ધર્મ નીતિના સૌંદર્યનું ભાન કદિ ન પણ થતું, પરંતુ તેની ધમકીઓની અસર તે તેના મગજમાં ભમ્યા કરતી. તંદુરસ્તી અને આબાદીમાં જો તેની અસરથી એ મુક્ત રહેતો તે મંદવાડ અને ભયના સમયે તેની સત્તા પાછી સ્થપાતી, અથવા તો કોઈ મોટો ગુને કરવાની તૈયારીમાં એ હોય ત્યારે તેની નજર સન્મુખ આવીને એ ઉભી રહેતી. જો આ સઘળી ધાસ્તીઓને એ પત કરે નહિ. તે છેવટે જે લેકમત એણે ઉભો કર્યો હતો તે એને નડતો અને એને વશ કરતો. કેટલાક વિધર્મી શહેનશાહ નિલજ બનીને નિરંકુશપણે કોઈ પણ જાતની ધાસ્તી અને પશ્ચાતાપ વિનાના થઈને દુરાચારમાં પ્રવૃત્ત થતા હતા તે વાત હવે શક્ય રહી નહોતી. ધર્મસન ઉપરથી પ્રબળ બોધ અપાતે હતો અને ઘણા પ્રકારની સખાવતે થતી હતી. - તવૃત્તિના પ્રથમ મહાન ઉભરાનાં જે નૈતિક પરિણામ અદ્યાપિ પર્યત આપણે બતાવ્યા છે તે કેવળ ખરાબ જ જણાય છે. તપોવૃત્તિઓ નૈતિક સંપૂર્ણતાનું કેવળ ભ્રાંતિજનક દષ્ટિબિંદુ ઉપજાવ્યું હતું; ઉપરાંત જે નૈતિક ઉત્સાહ સમાજનું રૂપાંતર કરી નાખે છે તેને વ્યાવહારિક ચંચળ પ્રવૃત્તિમાંથી છેક એણે વાળી લીધો એ વાત અત્યંત અનિષ્ટકારક હતી, અને યુરોપની નૈતિક અવસ્થામાં કેટલાક સૈકાઓ પર્યત ખ્રિસ્તિ સંસ્થા વધારે મોટો સુધારો કરી શકી નહિ તેનું મુખ્ય કારણ એ જ છે એમાં ડી જ શંકા છે. પરંતુ જો કે તપત્તિથી ઘણું અનિષ્ટ પરિણામ આવ્યાં છે, છતાં તેમાંથી પણ કાંઈક સારાં પરિણામ પ્રાપ્ત થયાં છે; તેથી તેની છેક અવગણના કર્યા પહેલાં કાંઈક વિચાર કરે ઘટિત છે.