SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 311 રીતે વારસે મળી શકે નહિ એ વેલેનટિનિયનના સમયમાં કાયદો પણ કરવો પડ્યો હતો, અને આવા અંકુશની જરૂર હતી એમ સંત જેરોમ શોચપૂર્વક કબુલ કરે છે. શેહેરીને ફરજોથી અળગા રહેવાની ખાતર સંખ્યાબંધ માણસે ખ્રિસ્તિ થઈ જતાં; લેકે આળસુ બની ગયા અને માત્ર પ્રમાણિક મહેનત નહિ કરવાની ખાતર તેમનાં ટોળેટોળાં જંગલમાં જવા લાગ્યાં, મઠમાં જઈ સાધુ થવા સિપાઈઓ પણ લશ્કરમાંથી ભાગી જતા હતા. અમીર વર્ગની સ્ત્રીઓ ઉંચા પ્રકારનું જીવન જીવવાનો ડોળ કરી પિતાના સ્વામીને છેડી હલકા વર્ગના પિતાના યારો સાથે રહેવા લાગી. ન્યાસાના સંત ગ્રેગરીના સમયમાં પેલેસ્ટાઈનમાં પણ જાત્રાળુઓ ઉભરાવા લાગ્યા હતા અને અધમ અનાચારમાં પ્રવૃત્ત થતા હતા. જાત્રાળુઓની અપકીર્તિ લાંબા સમય ચાલુ રહી હતી. અને જાત્રાને બહાને બહાર નીકળી સ્ત્રીઓ છ ચોક વેશ્યાને ધંધો કરતી હતી. ઉંચી પદવીના પાદરીઓ વિલાસી અને વ્યાવહારિક દૃષ્ટિના થઈ ગયા હતા, અને નીચેની પદવીના પાદરીઓ રમતગમતના અત્યંત શોખીન થયા હતા. આમ આખો પાદરી વર્ગ સડી ગયો હતો. સંત જેરેમની ફરિયાદ એ હતી કે ઘણું ધર્માધ્યક્ષોના ખાણામાં પ્રાંતના હાકેમના ખાણા કરતાં વધારે દમામ રહેત; અમલદારી મેળવવા ધર્મગુરૂઓ બહુ ખટપટ કરતા, અને તેમાં પક્ષે બંધાઈ એક બીજા વચ્ચે દારૂણ હરીફાઈ ચાલતી. અન્ય વર્ગોના આચરણનું મુખ્ય સામાન્ય લક્ષણ અત્યંત બાલીશતા થઈ પડયું હતું. વિધમી સમયના ઘણાખરા કાળ કરતાં નીતિને ઉત્સાહ તે વધારે હતો, પણ એ બધે ઉત્સાહ જંગલમાં ખેંચાઈ જવાથી સમાજ ઉપર તેની અસર પડી જ થતી. રથની શરતોમાં સામસામા પક્ષની વઢવાડમાં રાજકીય, બુદ્ધિ વિષયક અને ધાર્મિક મતભેદ પણ ઢંકાઈ જતા: અને એવી વઢડથી શેરીઓમાં મારામારી થઈ પુનઃ પુનઃ લેહી રેડાતું હતું અને રાજ્યના મોટા ફેરફારે ઉપર પણ એની અસર વખતે થતી; અને એવા કજીઆ, કંકાસ અને તેફાનમાં તેમને બધે વખત જ હતું,
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy