________________ 308 યૂપીય પ્રજાના આચરણને ઈતિહાસ. બહુ થાય છે અને આ દૃષ્ટિએ જોતાં તેમની કિંમત બહુ અંકાવી જોઈએ, પણ ઇતિહાસના મોટા બને તે ન હોવાથી ઇતિહાસકારોની દષ્ટિ તેમના તરફ બહુ ખેંચાતી નથી. આ કારણને લીધે ખ્રિસ્તિ ધર્મને બહુ અન્યાય થયો હોય એમ જણાય છે. તેની નીતિની અસર સમાજ કરતાં વ્યક્તિ ઉપર હમેશાં ઘણી વધારે થઈ છે; અને જે ક્ષેત્રોને સ્પષ્ટ સાક્ષાકાર ઈતિહાસને થઈ શકતો નથી તે જ ક્ષેત્રોમાં બીજા ધર્મ કરતાં તે ધર્મની શ્રેષ્ઠતા સ્પષ્ટ જણાઈ આવે છે. જંગલીઓ અને મુસલમાનોના હુમલાથી પ્રાચીન સંસ્કૃતિને નાશ થયે તે પહેલાં ખ્રિસ્તિ સત્તાના સમયમાં રેમન રાજ્યની અને બાઈઝેન્ટાઈન રાજ્યની નીતિ એકંદરે કેવી હતી તેને બરાબર તેલ ન કરવું હેય તે આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. વળી આપણે એટલું પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે પ્રજાઓ ઉપર ખ્રિસ્તિ ધર્મની સત્તા જામી હતી તે પ્રજાઓમાં ભ્રષ્ટ અને અસ્ત થતી પ્રાચીન સંસ્કૃતિની કટે ઘર ઘાલીને બેઠી હતી, અને કેટલાક અતિ ડાહ્યા ટીકાકારે કે જેમના લેખ ઉપરથી જ તે જમાનાની નીતિનું તોલન આપણે કરવું પડે છે તે ટીકાકારે નાની નાની બાબતમાં પણ બહુ બારીક ચોળાચોળ કરતા હતા. એવી ઘણી નાની બાબતે કે જે સામાન્ય દષ્ટિને ઉપેક્ષણીય લાગે તે સંત કે ધર્મ ગુરૂની નજરમાં બહુ મેટી લાગે છે. પિતાના સમયના વિલાસી સમાજના સાધારણ પિોશાક અને રીતરીવાજ બ્રિતિઓ પાછા ગ્રહણ કરવા માંડે, પિતાના પંથની પ્રાથમિક સખ્તાઈને હજી પણ ચીવટથી વળગી રહે તેની ખ્રિસ્તિઓ હાંસી કરે, અથવા તે જે માણસે એક વખત માત્ર નામના જ વિધમાં હતા તે હવે માત્ર નામના જ ખ્રિસ્તિઓ થાય; આવી આવી બાબતો ઉપર અર્વાચીન ટીકાકારો ઘણું કરીને બહુ લક્ષ આપશે નહિ. વળી ઘણી વખત નીતિશાસ્ત્રકાર મોજશોખના કેઈ નવા પ્રકાર કે નજીવી રહી કે જેને તે ગેરવાજબી ગણતા હોય છે ને ખાસ લક્ષમાં રાખી તેની અતિશયોક્તિ યુક્ત નિંદા કરે છે અને એટલી બધી વધારે પડતી અગત્યતા એને આપે છે કે જે પાછલા જમાનામાં સમજી શકાતી નથી.