SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 299 છોકરીઓને ગુપ્ત રીતે સલાહ આપી તેમને સાધ્વીઓ કરવામાં સહાય આપતા. તપવૃત્તિને પ્રથમ ઉભરો શમી જતાં, પિતાએ ખોલી સત્તા પાદરીવર્ગના હાથમાં આવતી ગઈ. કૌટુંબિક જીવનના પિતાના છૂપામાં છુપા વિચાર અને ગુના માણસે પાદરીઓ પાસે જઈ કબુલ કરતા. સત્તાની, સહદયતાની અને કેટલીક વખત તે પ્રેમની શ્રેષ્ટતા પણ કૌટુંબિક જીવનમાં રહ્યા નહિ, અને બીકણ અને ભોળી સ્ત્રીઓના અત્યંત ગુપ્ત વિચારે અને વૃત્તિઓ ઉપર પિતાની સંપૂર્ણ સત્તા સ્થાપીને પાદરીઓએ દુનિયાના રાજ્યને પાયો નાખ્યો. તપોવૃત્તિના પ્રથમ કાળમાં કૌટુંબિક લાગણીઓની કેવી દશા થઈ હતી તેનું ચિત્ર આપણે આલેખ્યું; અને એ ચિત્ર એવું સ્પષ્ટ છે કે હવે વધારે કહેવાની જરૂર રહેતી નથી. પિતાના કાર્યમાં કે વિચારમાં વિશ્વરૂપ થાય એવી પિતાની આસપાસની જાળમાંથી મુક્ત થઈ સદાચારી પુરૂષને કવચિત મોટો અને દુઃખદ આત્મ–ભેગ આપવો પડે છે એ વાત તદ્દન સાચી છે. પરંતુ એવા બના પ્રાસંગિક અને અપવાદરૂપ હોય છે, અને તેને ઉદેશ કોઈ મેટ પરોપકાર હોય છે. પરંતુ તપોવૃત્તિમાં કૈટુંબિક પ્રેમના ત્યાગને ખાસ સિદ્ધાંત જ હતો અને તે ત્યાગ સર્વોત્તમ સદાચાર ગણાતો હત; વળી તેને ઉદેશ પણ મોટે ભાગે અથવા કેવળ સ્વાર્થ જ હતો. તેથી ઉપર કહેલા આત્મભોગની સરખામણી તપધારીઓના વર્તન સાથે કરી શકાય નહિ. તપધારીઓને વહાલાંના વિરહની વેદના બેશક ઘણીવાર બહુ થતી; અને ઘણું સાધુઓ ઉપરથી શાંત દેખાતા, પણ અંતરમાં ઘણું પ્રેમાળ અને હેતાળ હતા તેના ઘણા દાખલા છે. પિતાના એક પત્રમાં સંત જેરોમ સંતોષ અને મગરૂબીથી કહે છે કે અનિવાર્ય વિરહની આ વેદના રાજી ખુશીથી સહન કરવામાં માણસો પિતાનું મહદ ભાગ્ય સમજતા હતા અને સાધુ થતા હતા એવી એના ઉપદેશની ખૂબી હતી, પરંતુ કૌટુંબિક લાગણીઓને કેવળ છંદી મારવામાં જ સર્વોત્તમ સદા. ચાર છે કે કેમ? એ પ્રશ્ન બાજુએ રાખીને કર્તાના કાર્યને સદાચાર જાણ હોય તો તેણે આપેલા આત્મ-ભોગ ઉપરાંત તેને ઉદેશ પણ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy