________________ કેન્ટનટાઈનથી શાર્લમેન સુધી. 283 શાંતિમાં મુઓ. આમ વૃદ્ધાવસ્થામાં પણ સ્ત્રીઓની ધાસ્તી સાધુઓને લાગતી. પિતાની જનેતાને અડકતાં પણ તેઓ બીતા. એક સાધુ પિતાની માતા સાથે મુસાફરી કરતા હતા. ચાલતાં ચાલતાં એક નદી આવી, અને આ નદીને પૂલ નહોતે. તેથી માતાને હાથે પકડી તેને નદી ઉતારવાની સાધુને જરૂર જણાઈ. હવે સાધુ પોતાના હાથે ચીપી ચીપીને કપડાં વીંટવા લાગ્યો. માતા ચકિત થઈ અને તેમ કરવાનું એણે એને કારણ પૂછયું, સાધુ દીકરાએ જવાબ આપે. " દુર્ભાગ્યે જે એને સ્પર્શ એને થઈ જાય તો એની પ્રકૃતિની સ્વસ્થતામાં ભંગ પડે. માટે તે એમ કરતો હતે. કેલેમાના સંત જેનની બહેનનું હેત ભાઈ ઉપર ઘણું હતું; અને પિતાના મૃત્યુ પહેલાં એક વાર ફરીને તેનું મહ જેવા તે બહુ ઉત્કંઠિત થઈ, પણ સંત સાહેબ તેના કાલાવાલા ધ્યાનમાં લેતા નહિ. ત્યારે બહેને લખ્યું કે પોતે જ જંગલમાં ભાઈની જાત્રાએ આવશે. ત્યારે મુંઝાઈને આ સંતે તેને લખ્યું કે એ પિતે જ તેની પાસે આવશે. પછી વેશ પાલટીને બહેનને તે મ; અને બહેને તેને પાણીનું પ્યાલું પાયું પણ ભાઈને ઓળખે નહિ. ભાઈએ પણ પિતાની જાણ કરી નહિ, અને પાછો જંગલમાં એ ચાલ્યો આવ્યો. આણી તરફ બહેને ભાઈને ઠપકાના પત્રો લખવા માંડયા કે હજી સુધી એણે પિતાનું વચન પાળ્યું નહોતું. ભાઈએ લખ્યું: હું જરૂર તમને મુલાકાત આપી ગયો છું, પણ ઈસુ ખ્રિસ્તની કૃપા કરીને તમે મને ઓળખે નહિ. અને હવે હું કદિ મળવાનું નથી. સંત થિયેડેરસની માતા ધર્મગુરૂઓના ભલામણ પત્રો લઈ પિતાના દીકરાને મળવા આવી. પણ દીકરાએ પિતાના મઠાધિપતિ સંત પેકેમિયસને વિનવી વિનવીને પોતાની માતાને નહિ મળવાની રજા માગી. ગરીબ માતા પિતાની દીકરી કે જેણે એવા જ ઉદ્દેશથી એવી મુસાફરી કરી ત્યાં આવી હતી. તેની સાથે મઠના અન્ય ભાગમાં જઈને રહી અને આ સંત સાહેબ મા બહેનને પણ મળ્યો નહિ. સંત મારસની માતાએ મઠાધિપતિને કાલાવાલા કરી સમજાવતાં મઠાધિપતિએ સંતને હુકમ કર્યો કે તેણે માતાને મળવા બહાર જવું. ન જાય તે આજ્ઞાધીનતાને ભંગ થાય, અને જાય તે માતાનું