________________ 268 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, છોકરી એમ કહેતી કે સ્ત્રીઓની મુકિત અર્થે પિતે ઈશ્વરને અવતાર છે; અને જ્યારે ઈ. સ. 1300 માં તે મરી ગઈ ત્યારે તેનું દાટેલું મડદું બહાર કાઢી બાળી મેલવામાં આવ્યું હતું. બીજી બે સ્ત્રીઓ જે તેનું કહેવું માનતી હતી તેમને પણ ફાંસીએ ચડાવવામાં આવી હતી. જેન એફ આર્ક નામની બાળાને ડાકણ માની જીવતી બાળી મૂકી હતી એ વાત ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. છતાં ડાકણ પરત્વે ધર્મશાસ્ત્રના અમુક વિચારોને લીધે જ ઘણું કરીને દીવાનાપણું ઉત્પન્ન થતું અથવા તેનું સ્વરૂપ બંધાતું; અને ધર્મગુરૂઓની સહાયને લીધે હજારો દુર્ભાગી સ્ત્રીઓ કે જે ખરું જોતાં દયાને પાત્ર જ હતી તેમને ક્રૂર રીબામણીને ત્રાસ આપી છેવટે જીવતી બાળી મૂકવામાં આવતી હતી. તેમ છતાં કેટલાક પ્રકારનાં ગાંડપણ સ્વાભાવિક હોય છે એ સ્વીકાર તે સમયે કરવામાં આવતો હતો, પરંતુ તેવા ગાંડાના આરામ અને સુખને માટે બહુ જ થેડા ઉપાય જાય છે, અને યોજાતા તે ઉલટા વધારે દુઃખદાયક થતા હતા. પ્રાચીન પ્રજાઓમાં તેમને દેવ-મંદીરમાં લાવી દમામ ભરેલી ધર્મ ક્રિયાઓ તેમના ઉપર થતી અને કલ્પનાદ્વારા ઘણું કરીને તેમની સારી અસર થતી હતી. પરંતુ તે સમયે દીવાનાશાળાનું અસ્તિત્વ હોય એમ જણાતું નથી. એમ કહેવાય છે કે જેરૂસેલમમાં દીવાના સાધુઓને માટે આશ્રમ હતું. પરંતુ પંદરમા સૈકા પહેલાં ખ્રિસ્ત યુરોપમાં કઈ દીવાનાશાળા નહોતી, દયાના આ કામમાં મુસલમાને એ જ પહેલ કરી છે. બારમા સૈકામાં બગદાદમાં એક ભવ્ય મહેલમાં આખા દેશના દીવાનાઓને રાખવામાં આવતા અને સાંકળથી તેમને બાંધી રાખતા. મહીને મહીને તેમની બારીક તપાસ થતી અને સાજા થતા તેમને છોડી મુકવામાં આવતા. મુસલમાને ગાંડાની ખાસ સંભાળ લેતા હોય એમ જણાય છે. ખ્રિસ્ત પ્રદેશમાં એવી શાળા ઉઘાડવાની પહેલ પેન દેશે કરી હતી. વેલેશિયા શહેરની શેરીઓમાં લોકોના ટોળાં ગાંડાઓને પજવતાં હતાં તે એક સાધુને દયા આવી, અને તેથી તેણે ત્યાં એક દીવાનાશાળા સ્થાપી અને તુરત જ એનના બીજા પ્રાંતમાં પણ એવી