________________ 258 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. -~- ~ -~ આ ગ્રંથમાં વાત કરવાની છે તેમાં પણ જોકે તેનું સ્વરૂપ ફરી ગયું હતું અને તેનાં દુઃખ ઓછાં થઈ ગયાં હતાં, તે પણ તેમાં ગુલામેની સંખ્યા વિધર્મી સામ્રાજ્યના સમય કરતાં ઘણું કરીને વધારે હતી. પશ્ચિમ રાજ્યમાં ગુલામેની આ સ્થિતિમાં ફેરફાર જંગલીઓની છતને લીધે એ દિશામાં થયે છે. જંગલી કેદીઓની આવક બંધ થઈ, મેટાં કુટુંબ કે જે ગુલામને મોટે રસાલે રાખતા હતા તે કુટુંબ હવે નિર્ધન થઈ જવાથી ગુલામ રાખી શકતા નહિ; શહેરી જીવન એકંદરે ઘટી ગયું; અને જંગલીઓમાં જાતની સ્વતંત્રતા સાચવવાની ટેવ હતી, આ બધાં કારણેને લીધે ગુલામગીરીને જૂને પ્રકાર અટકી ગયો. પરંતુ દુર્દશા અને અનિશ્ચિત અવસ્થા ને લીધે ખેડૂત વર્ગની મોટી સંખ્યા સંરક્ષણની ખાતર પિતાની સ્વતંત્રતા પાડેશી અમીરને વેચી દેવા લાગી. પૂર્વ રાજ્યમાં કરના બેજાથી લેકોની સમૃદ્ધિ ઓછી થતાં વધારે પડતા ગુલામે કઈ રાખતું નહિ. વળી ખેતીને ઉત્તેજન આપવાની ખાતર ગુલામ-ખેડૂતોને પિતે ખેડતા હોય તે જમીન ઉપર કાયમ રાખવાના કાયદા થયા. વખત જતાં આવા ગુલામેનો મેટે ભાગ અને લગભગ બધા સ્વતંત્ર ખેડૂતો દાસ-ખેડુ (Serfs) ના નામથી પ્રસિદ્ધ એક પ્રકારની ગુલામગીરીની દશાને પ્રાપ્ત થયા. અને પછી આ પાયા ઉપર જાગીર-સંસ્થા (Feudalism) નામની વ્યવસ્થાની ઈમારત ચણાઈ. આઠમા સૈકાની આખરમાં કઈ ગુલામને તેના દેશની બહાર વેચવાની મના થઈ. ઈટાલીમાં સ્વતંત્ર શહેરની ઉત્પત્તિ, જે ગુલામ લશ્કરમાં સેંધા હોય તેને છૂટા કરવાનો રિવાજ, આર્થિક પરિવર્તનને લીધે ગુલામની મજુરી કરતાં સ્વતંત્ર મજુરીથી થતા ફાયદે, અને આ બધાં કારણેની સાથે ધાર્મિક ઉદેશ ભળતાં છેવટે મજુર વર્ગ સ્વતંત્ર થયે. ધર્માદાના કામ તરીકે ગુલામોને છૂટા કરવાને ચાલ છેવટ પર્યત ચાલુ રહ્યા હતા. પરંતુ પોપાંડિત્યમ્ બતાવનારા ધર્મગુરૂઓ, સંસ્થાના લાભની ખાતર, બીજાને જે ઉપદેશ તેઓ આપતા તે પ્રમાણે પોતે જ ચાલતા નહિ. છતાં બારમા સૈકામાં યુરોપમાં ગુલામે જવલ્લેજ જોવામાં આવતા; અને તેમાં સૈકામાં તે ગુલામગીરી લગભગ લેપ પામી ગઈ હતી,