SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ કોસ્ટનટાઈનથી શામેન સુધી. 253 સિક ચંચળતા, અને ઔદ્યોગિક સાહસને લીધે ઉપજતી આતુર અને અશાંત તૃષ્ણાઓ-આ બધાં હાલના જમાનાની પ્રગતિના આવશ્યક સિદ્ધાંત છે, પરંતુ તેથી સતિષને સદાચાર કેવળ દુર્લભ થતો જાય છે, અને ઈશ્વરની ઇચ્છાને આધીન રહેવાની ટેવ કે જે ખરેખરા દુઃખને વખતે દીલાસરૂપ થાય છે તે ટેવ તેથી નિર્મળ થતી જાય છે. મનુષ્યની જીંદગીની પવિત્રતા પર ખ્રિસ્તિ ધર્મ શું કર્યું છે તે આપણે જોયું. હવે ભ્રાતૃભાવ અને જનહિતેષણ બાબત તેણે શું કર્યું છે તે આપણે જોઈએ; અને પ્રથમ ગુલામગીરીની બાબત તપાસીએ. ગુલામગીરીની પ્રથા વાજબી છે એ સંપૂર્ણ સ્વીકાર વિધર્મીઓમાં હતો. પરંતુ એંઈક મતને ઉપદેશ એવો હતો કે સર્વ મનુષ્યો સરખાં છે. તેથી સેનિકા ઇત્યાદિ કહેતા કે ગુલામે પ્રત્યે માયાળુપણે વર્તવાની શેઠની ફરજ છે. છતાં ગુલામ પ્રત્યે ઘણી વખત નિર્દય ક્રૂરતા વપરાતી હતી. આ ક્રૂરતા બંધ કરવા ઘણું કાયદા થયા હતા, અને છેવટે ગુલામને મારી નાખવાની સત્તા શેઠને રહી નહોતી. છતાં ગુલામ ઉપર જુલમ ઘણે તે અને થોડીક યોગ્ય સજા કરતાં ગુલામ મરી જાય તો શેઠ જવાબદાર ગણાતે નહિ. ગુલામને મારી નાખવાનો જ ઇરાદે શેઠને હતે એવી વાત પૂરવાર થાય તો જ શેઠને જવાબદાર ગણવાને કાયદો હતો. વિધર્મી અને ખ્રિસ્તિ રાજ્યોના સંક્રાતિ કાળે ગુલામોને બે જાતનાં સંકટ મુખ્ય હતાં; કાયદામાં તેમનાં લગ્નને કેવળ અસ્વીકાર હતો અને શેઠ તેને દૂર રીતે રીબાવી દુઃખ દઈ શકતે. જસ્ટિનિયનના સમય પહેલાં ખ્રિસ્તિ પાદશાહે પણ ગુલામની જાતને હલકી ગણી તેમને કાયદાના સંરક્ષણની બહાર રાખવાનું ગ્ય ગણતા હતા. પરંતુ ધીમે ધીમે કાયદાને લાભ ગુલામને મળવા લાગે અને તેમને તેમનાં કુટુંબથી વિખુટા પાડવા નહિ એ ઘણે દયાળુ કાયદો કેન્સ્ટનટાઈને કર્યો હતો. વળી ગુલામોને છૂટા કરવાની ક્રિયા રવિવારે દેવળમાં થવા લાગી. સિવાય ઘણું કાયદા થવા લાગ્યા. ગુલામ વર્ગ અને સ્વતંત્ર વર્ગ વચ્ચે લગ્નની સખત મનાઈ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy