________________ 242 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. થઈ શકતી નહિ. વળી તેથી કરીને લેકેની કલ્પનામાં દયા અને પવિત્રતાનું વિચાર–સાહચર્ય થવા લાગ્યું અને મનુષ્ય-છદગીને માટે પૂજ્ય ભાવ વધવા લાગ્યો. વળી કઈ ધર્મગુરૂથી મનુષ્યનું લેહી રેડાય નહિ એ સિધાંતની એક બીજી વિલક્ષણ અસર પણ થઈ છે. મતની સજા થાય એવા કોઈ પણ તહોમતમાં કોઈ ધર્મ-ગુરૂથી ભાગ લઈ શકાય નહિ એવા સિદાંતથી નાસ્તિકાને સતાવતાં છતાં પણ તેમના મૃત્યુથી મુખ્ય ધર્મ-ગુરૂઓ હવા લાગ્યા. જ્યારે ધર્મ-ગુરૂઓ સર્વત્ર સ્વીકારતા હતા કે નાસ્તિકતા મોટામાં મોટો ગુને છે, અને તેથી નાસ્તિકને શિક્ષા થવી જોઈએ; અને જ્યારે ધર્મગુરૂઓની ઉશ્કેરણીથી નાસ્તિકને દેશનિકાલ કરવાના, તેમને દંડ કરવાના અને તેમને કેદની સજા કરવાના કાયદા થતા હતા અને ધાર્મિક સ્વતંત્રાનું કયાંઈ નામ નિશાન પણ રહ્યું નહિ; ત્યારે પણ તે જ ધર્મગુરૂઓ તેમનું લેહી રેડવાથી ડરવા લાગ્યા. વખત જતાં નાસ્તિકને સજા કરવાની સત્તા જ્યારે રાજ્યને સોંપાતી ત્યારે પવિત્ર પ્રાર્થના કરીને ધર્મગુરૂએ ધિક્કારવા યોગ્ય દંભથી ભલામણ કરવા લાગ્યા કે લેહી રેડ્યા વિના તેમને જેમ બને તેમ નરમ સજા કરજે, અર્થાત્ તેમને જીવતા બાળી મૂકવા કે જેથી કરીને તેમનું લેહી રેડાયા વિના તેઓ મૃત્યુ પામે. રેમમાં જ્યારે વ્યભિચારી દેવા-પૂજારણોને જીવતી દાટવામાં આવતી હતી ત્યારે તેમાં પણ આ જ સિદ્ધાંત અંતર્ગત હતો. વખત જતાં બ્રિતિ ધર્મગુરૂઓએ મનુષ્યનું લેહી રેડવામાં મણ મૂકી નથી. પરંતુ શરૂઆતમાં લેહી રેડવાની જે અત્યંક બીક તેમને એતરમાં રહેતી તે બીક દયાને ફેલાવો કરવામાં ઘણી કામ લાગી છે. છતાં કાયદાથી ગુનેગારોને જે સજા થતી તેની સખ્તાઈને ઘટાડે કરવામાં તેમના ઉપદેશની અસર થેડી જ થઈ છે એ વાત લક્ષમાં લેવા જેવી છે. ઈહાસનું બારીક અવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે કાયદાના બંધારણમાં સત્યયુગને સમય વિધર્મીઓના રાજ્યમાં આવ્યું હતું; બ્રિતિ ધર્મના અમલમાં નથી આવ્યો. અન્યાય થતું હોય તો તે સાંભળી ન્યાય આપ, જુલમથી દબાઈ ગએલા વર્ગોને ઉચ્ચ પાયરીએ લાવવા, અને