________________ 240 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. પ્રત્યે ક્રૂરતા વપરાતી. આ રમત પણ છેવટે સાતમા સૈકામાં કુલેની સભાએ બંધ કરી. પરંતુ મધ્યકાળ સુધી ઈટાલીમાં મલ કુસ્તીઓ થતી રહી હતી અને તેમાં કોઈ કોઈ વખત રમનારાને બહુ ઈજા થતી હતી. તે તરવારના આ પ્રાણઘાતક બેલેને નાબુદ કરવામાં ખ્રિસ્તિ ધર્મ લે ઉપર જે તે ઉપકાર કર્યો નથી. એ ખેલે જાતે તે દૂર જ હતા, પરંતુ તેની મોટામાં મેટી ખરાબી તે એ હતી કે તેથી કરીને બધા વર્ગોના લોકેમાં દયાની લાગણી બુટ્ટી થઈ જતી હતી અને એ વાત દયાના ધરણને ઉચ્ચ બનાવવામાં નડતર રૂપ થતી હતી. વિધર્મીઓની સામાજીક સંસ્કૃતિ અને તેમનું તત્વજ્ઞાન આ બાબતમાં સુધારે કરવા અસમર્થ નીવડયાં હતાં; અને કદાચ લાંબા સમય પર્યત એવીને એવી સ્થિતિ ચાલ્યા કરત. અને જ્યારે ઉત્તર તરફના અનાડી વીરોએ ઇટાલીનું રાજ્ય જીતી લીધું તે વખતે જે એ ખેલે નિરંકુશપણે પ્રચલિત હેત તો તેઓ પણ ઉત્સાહપૂર્વક તેમને વધાવી લેત, અને મધ્યકાળના જીવનમાં તેમનાં મૂળ સિત; અને પછી મનુષ્ય જાતની ઉન્નતિમાં કેટલે વિલબ થાત તે અત્યારે કહી શકાતું નથી. પરંતુ રોમની ભૂમિમાંથી આ દુષ્ટ છોડને નિર્મળ કરવા ખ્રિસ્તિ ધર્મ સમર્થ થયો; અને તેથી યુરોપની સંસ્કૃતિ ઉપર ખ્રિસ્તિ ધર્મને મોટામાં મોટો ઉપકાર છે. એ બેલેમાં જે મરી જતા તેમના માનની ખાતર એવા ખેલે કરાવવા વિધર્મીઓમાં પૈસાની રકમે વારસામાં મૂકી જવાને રિવાજ હો; તેને બદલે ગરીબ અને દુઃખીને મદદ કરવા વારસો મૂકી જવાની પ્રથા ખ્રિસ્તિ ધર્મ પાડી, અને ડિસેમ્બરમાં એવા ખેલ થતા હોવાથી તે મહીને રેમના આખા રાજ્યમાં ઉત્સવ તરીકે પળાતો; તેને બદલે ઈશુખ્રિસ્તના આગમનની યાદગીરી જાળવવા ખ્રિસ્તિઓ તે મહીને ઉત્સવમાં ગાળવા લાગ્યા. પરંતુ મનુષ્યની જીંદગી પવિત્ર છે એ સિદ્ધાંતને ખ્રિસ્તિ ધર્મના કેટલાક આચાર્યોએ એવું રૂપ આપવા માંડયું કે તેથી કરીને પ્રજાની સ્વતત્રતા અને રાજ્યની શાસન-પદ્ધતિ જેડે તેને મેળ મળે નહિ. તેઓમાંથી ઘણું એમ કહેતા કે સિપાઈ તરીકે અથવા કેઈના ઉપર ખૂનનું તહોમત