SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કતરી રીતે ધારાશાસ્ત્રીઓએ એ વાતને નિંદ્ય ગણી હતી. અર્થાત બાળ ત્યારે તેઓ ગુને તે ગણતા, પણ આપણી પેઠે તેને મોટો ગુને તેઓ નહોતા ગણતા. તેપણ રેમના સામ્રાજ્ય સમયમાં બાળહત્યાઓ બહુ થતી અને ગુનેગારો બહુ સહેલાઈથી અને વારંવાર છટકી જતા. બાળહત્યા અને બાળકને રખડતું મૂકી દેવું એ બે વાતોમાં ભેદ પાડવામાં આવતે; અને પાછલા ગુનાને માટે કાયદામાં કાંઈ સજા નહોતી. તેથી કોઈ પણ જાતની ભીતિ વિના તે ગુને લેકે બેધડક કર્યો જતા. જન્મેલું બાળક છોકરી હોય તે તેની તે ઘણું કરીને હત્યા જ કરવામાં આવતી, અને ગરીબ માબાપ બાળકને રખડતું મૂકી દે છે કે તેમના પ્રત્યે બહુ ક્ષમા દષ્ટિ રાખતા. રખડતાં મૂકેલાં બાળકે અલબત્ત ઘણું કરીને મરી જતાં. પરંતુ અમુક સ્થળે તે બાળકે મૂકાતાં હોવાથી લેકે તેમને વારંવાર બચાવી લેતા અને ગુલામ કે વસ્યા તરીકે તેમને ઉછેરતા. આ પ્રમાણે બાળહત્યા નિંદ્ય છે એવી લેકમાં લાગણી તે હતી જ, આ લાગણીને વધારે મજબૂત કરી તેને અમલ કરાવે અને રખડતાં મૂકેલાં છોકરાંઓને માટે સરક્ષણનાં સાધને વધારવાં એટલું જ બ્રિતિ ધર્મને આ બાબતમાં કરવાનું હતું. અને ગર્ભપાતની બાબતમાં ગ્રહણ કરેલી પદ્ધતિ અહીં પણ તેમણે ગ્રહણ કરી. ઉપરાંત ખ્રિસ્તિઓ ઉપદેશ કરવા લાગ્યા કે અજાણ્યાની દયા ઉપર આધાર રાખીને બાળકને રખડતું મૂકી દેવું એ તેની હત્યા કર્યા બરાબર છે. અને તેથી કેન્સ્ટાઈનના સમયથી જ તે સંબંધી કાયદા થવા લાગ્યા; અને ગરીબ માબાપનાં છેકરોને રાજ્યના ખર્ચે ઉછેરવાં એમ પ્રસિદ્ધ થયું. વળી રખડતા મૂકેલાં બાળકને બચવાના યોગ વધે એવા ઉદ્દેશથી એ કાયદો કરવામાં આવ્યું કે તેવાં બાળકે ઉપર તેમને બચાવનારની સંપૂર્ણ સત્તા રહેશે. પરંતુ તેથી કરીને સેંકડો વર્ષ પયેત આવાં બાળકે ગુલામગીરીમાંથી મુક્ત થઈ શક્યાં નહિ. યુરોપમાં જ્યારે ગુલામગીરીનો અંત આવ્યું ત્યારે જ તેમને ઉદ્ધાર થયો. વળી ગરીબ માબાપ છોકોને વેચી દેતાં. આવાં છોકરાને માબાપ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy