________________ 228 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધર્મને અમલ એક લાકડીએ રહ્યા હતાઆ બધી હકીકતો આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ઉપલી દલીલ વજનરહિત થઈ જાય છે. પ્રાચીન કાળના હડહડતા દૂરાચારને હાર આપી ખ્રિસ્તિ ધર્મમાં કહેલી વિશુદ્ધ નીતિની સાથે તેમની સરખામણી કરવાની વાત સેહેલી છે. પરંતુ વાસ્તવિક સુધારાની યથાર્થ તુલ્યના કરવાની આપણને ઈચ્છા હોય તે ગ્રીક અને રેમના લેકેને સુધારે અને ખ્રિસ્તિઓને સુધારે એ બન્નેને એકંદરે આપણે સરખાવવા જોઈએ અને એ બન્નેમાં કયા કયા દુરાચાર દબાઈ ગયા હતા અને ક્યા ક્યા સદાચાર આગળ આવ્યા હતા તે આપણે જેવું જોઈએ. ખિરિત ધર્મના પ્રથમ બે સૈકામાં નૈતિક ઉન્નતિ ઘણી થઈ હતી, અને એ જ એ ધર્મની પવિત્રતાની સાબીતિ છે એવી દલીલ વારંવાર તે સમયે થતી હતી. કેન્સ્ટનટાઈન ખ્રિસ્તિ થયે તેના આગલા સૈકામાં નૈતિક પતન ક્યારનું સ્પષ્ટ થવા માંડયું હતું. તે પછી બે સૈકામાં બધા ખ્રિસ્તિ વૃદ્ધો કહે છે તે પ્રમાણે સામાન્ય રીતે લોકોમાં ભ્રષ્ટ દુરાચાર પ્રચલિત હતું. તે પછી ધાર્મિક સુધારાને જે કાળ આવ્યું તેમાં કેટલાક ખાસ ગુણે હતા એ વાત ખરી; પણ ખ્રિસ્તિધર્મની સંસ્થાથી જનસ માજને પુનરૂદ્ધાર થયો છે એવી બડાઈનું કાંઈ પ્રમાણ તેમાંથી નથી મને ળતું એ વાત પણ ચોક્કસ છે. છેલ્લા ત્રણ સૈકામાં ઘણી ખરી બાબતમાં અદ્યાપિ પર્યત નહિ પહોંચેલી ઉચ્ચ દશાએ સુધારે પહોંચે છે એ વાત તદન ખરી છે, પરંતુ તેનાં કારણે અનેક અને એક બીજામાં મિશ્ર છે, અને ધાર્મિક નીતિ માત્ર તે મહેલું એક કારણ છે. યાંત્રિક શોધો, ઔદ્યોગિક જીવનની , વિજ્ઞાનશાસ્ત્રીની શોધખોળ, રાજકીય બંધારણના સુધારા, સાહિત્યની વૃદ્ધિ અને વિસ્તાર, વિધમાં પ્રાચીન કાળના રૂઢ વિચાર, આ બધાને એ સંસ્કૃતિમાં ભાગ છે; અને ઈતિહાસમાં ઉંડા ઉતરતાં બે સત્યે સ્પષ્ટ રીતે ઉપર તરી આવે છે. એક તે એ કે ધર્મશાસ્ત્રની અસરને લીધે સૈકાઓ પર્યત યુરોપની બુદ્ધિ બહેર મારી જઈ અચેત પડી રહી હતી. પરંતુ પ્રાચીનકાળનું વિધમાં સાહિત્ય અને વિજ્ઞાન–શાસ્ત્રીની મુસલમાની સંસ્થાઓ-આ બે પ્રદેશ કેથેલિક મતની હકુમતથી હજી સ્વતંત્ર રહ્યા