SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 21 vvvvvvvvvvvvvv પરંતુ મનુષ્ય સ્વભાવ છેક જ ભ્રષ્ટ છે એવી જે અતિશયોક્તિ કેટલાક પ્રેટેસ્ટંટ માં જોવામાં આવે છે તેવી અતિશયોક્તિ પ્રથમ ત્રણ સૈકામાં ખ્રિસ્તિ ધર્મમાં નહતી. પાપનું ભાન તે પ્રથમથી જ ખ્રિસ્તિધર્મમાં હતું. પરંતુ જન-સ્વભાવમાં રહેલા સૈ ન્યને તે સમયે ઈનકાર થતું નહોતે. ખ્રિસ્તિધર્મ પાપ કરતાં ભ્રાંતિમાંથી મુક્ત વધારે કરે છે એમ તે સમયે મનાતું હતું. જન્મથી જ માણસ પાપી છે કે કેમ? તે સંબંધી પેલેજીયસે ઉભી કરેલી ચર્ચા, સંત ઓગસ્ટાઈનને ઉપદેશ, અને તપવૃત્તિની વૃદ્ધિ આ કારણોને લીધે માણસ કેવળ ભ્રષ્ટ છે એ સિદ્ધાંત ધીમે ધીમે આગળ આવ્યો, અને તેથી ઘણું અધમ વેહે તેમાં પાછળથી પેસી ગયા. પરંતુ આ પાપના વિચારને ઉપયોગ નૈતિક કેળવણીમાં ખ્રિસ્તિ ધર્મ કેવી રીતે કર્યો છે તે હવે આપણે જોઈએ. પ્રભુ-ભોજન નામની ક્રિયા ખ્રિસ્તિ ધર્મમાં ઘણી અગત્યની ગણાય છે. એ ભોજનમાં ભાગ લેવાથી માણસ અમર થાય છે એવી માન્યતા ખ્રિસ્તિઓની હતી. કેટલાક ખ્રિસ્તિ વૃદ્ધો એમ પણ કહેતા કે સામાન્ય રીતે એ ભજનમાં ભાગ લીધા વિના કેઈનો મોક્ષ થઇ જ શકે નહિ. બાળકને પણ એ ભોજનની પ્રસાદી આપવામાં આવતી અને પુણ ઉમરનાં માણસો તો એ પ્રસાદી રોજ લેતાં. કેટલેક ઠેકાણે એ પ્રસાદી અઠવાડીઆમાં ચાર વખત લેવાતી. આ ક્રિયામાં કોઈને ભાગ લેવા દે કે કેમ? એ પાદરીઓના હાથની વાત હતી; અને આ ક્રિયા પ્રત્યે લેકમાં એટલી બધી પૂજ્ય બુદ્ધિ હતી કે તેને માટે પાદ. રીઓ જે કહેતા તે કરવા લેકે તૈયાર થતા. પાદરીઓ કહેતા કે જે માણસ નીતિમાન હોય તે જ એ ક્રિયામાં ભાગ લઈ શકે. તેથી કઈ માણસે કાંઈ પાપ કર્યું હોય તે તેનું પ્રાયશ્ચિત કર્યા પછી જ તે એમાં ભાગ લઈ શકત. અને ધાર્મિક ક્રિયામાંથી લાંબો કાળ અલગતા, પરણ્યા પૂર્વેને બ્રહ્મચર્યને ભંગ, વેશ્યાવૃત્તિ, વ્યભિચાર, તરવારના પ્રાણઘાતક ખેલને ધંધે કે નાટકની રંગભૂમિ ઉપર ખેલાડીને બંધ, મૂર્તિપૂજા, ખિસ્તિઓ ઉપર જુલમ કરનારની સાથે ભળી ખ્રિસ્તિઓ પ્રત્યે દગાફટકા, અને સૃષ્ટિ-વિરૂદ્ધ મૈથુન
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy