________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. પડી હતી અને તેથી ત્યાં તત્વચિંતકોને સતાવવામાં આવ્યા હતા. પરંતુ છેવટે વિચારની સ્વતંત્રતા ગ્રીસમાં લેકોને પ્રાપ્ત થઈ હતી. . રેમના પ્રાથમિક સમયમાં ધર્મ રાજકીય હતો અને તેની મુખ્ય મુખ્ય ક્રિયાઓ રાજસભાના જ હુકમથી થતી. “પિતાના ધર્મમાં જ શ્રેય છે, પારકા ધમમાં ભય છે” એ તેમનું સૂત્ર હતું, અને પિતાની રાજનીતિને આબાદ કરવા તેઓ ને આરાધતા. છતાં છતાએલી પ્રજાના ધર્મ પ્રત્યે તેમની સહિષ્ણુતા પુષ્કળ હતી, અને તેથી દરેક ધર્મના દેવને રામના સિપાઈઓ માન આપતા. પણ ધર્મને રાજ્ય તરફથી સતાવણી થતી નહિ. ડ્રઈડ નામના ધર્મ ગુરૂઓ નરમેધ કરતા તેજ માત્ર તેમણે અટકાવ્યો હતો. પરદેશમાં આવી રાજનીતિ રેમન લેકએ ગ્રહણ કરી હતી. પરંતુ ઈટાલીમાં પરદેશીઓનાં અનેક ટોળે ટોળાં આવવા લાગ્યાં હતાં. તેમને તેવી સ્વતંત્રતા આપવી કે કેમ તે જુદે જ પ્રશ્ન હતા. આ બાબત બરાબર સમજવા માટે વિચારની સ્વતંત્રતા અને ધર્મની સ્વતંત્રતા આ બે વાતોને એક બીજાથી અલગ રાખી તે સંબંધી રેમમાં તે વખતે શી સ્થિતિ હતી તે જોવાની જરૂર છે. રોમના રાજ્યમાં લોકોને વિચાર–સ્વાતંત્રય પુષ્કળ હતું, અને તત્વચિંતકે પોતાના સિદ્ધાંતને લક્ષીને ગમે તે બેલે અને ગમે તે લખે, તો પણ રાજ્ય તરફથી કોઈ તેને સતાવતું નહિ. જે રાજ્ય વિરૂદ્ધ તેઓ કાંઈ બોલતા કે લખતા તે અલબત તેમની ખબર લેવાતી. પરંતુ ધાર્મિક ક્રિયાઓની બાબતમાં રેમના રાજ્યકર્તાઓએ ઉલટી જ નીતિ ગ્રહણ કરી હતી. ઇટાલીમાં રોમના દે જ પૂજાય એ તેમનો આગ્રહ હતે. એક વખતે સખત દુકાળ પડતાં લેકે નવા દેવને પૂજવા લાગ્યા ત્યારે રાજ્ય તરફથી તેની બધી થઈ હતી. વિદેશીય દેવનાં મંદીરે તેડી પાડવાના કાયદા અને દાખલા રેમના ઈતિહાસમાંથી મળી આવે છે. એ ઉપરથી એમ જણાય છે કે ધર્મની બાબતમાં રેમમાં દબાણ હતું ખરું. પણ . આ નીતિનું ગ્રહણ પ્રજાનું ઐક્ય અને લશ્કરી બંદોબસ્ત જાળવવાની ખાતર જ થયું હતું. કવચિત કે ધર્મમાં સમાએલાં નૈતિક દુષણોની ખાતર પણ