________________ 182 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગમે તેમ હોય, પરંતુ તેમને એક વર્ગ એવે છે અથવા તેમને વિચારમાં ઉતારવાને એક પ્રકાર એ છે કે જેમાં તર્કમૂલક મુશ્કેલી કાંઈ આવતી નથી. વિજળીને તાર જે કે ગ્રહણની આગાહી સાંભળી જંગલીલું મન આચાર્ય પામે છે, તેમ આપણાથી અત્યંત ચડીઆમાં જ્ઞાન કે શક્તિવાળી જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય તે તે વાત અસંભવિત નથી; અને પછી એવી સૃષ્ટિને સામાન્ય લાગતાં કાર્યો આપણામાંથી બુદ્ધિમાનમાં બુદ્ધિ માન માણસને પણ ન સમજાય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. વળી બીજી બાબતમાં જે પૂરાવાને આપણે પૂર માનીએ છીએ તે પૂરત પૂરાવો ચમત્કારની બાબતમાં આપણને મળતું નથી માટે આપણે ચમત્કાર નથી માનતા એમ પણ નથી; કારણ કે ઈતિહાસના ઘણા બનાવે આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લઈએ છીએ, પણ એજ ઈતિહાસકાર જે દૈવી ચમત્કારની વાત કરે છે તે તે વાતને આપણું મન અનાયાસે જ એક ગપ ગણે છે. આપણને ખાત્રી છે કે પ્રાચીન શિષ્ટ સમયમાં કે મધ્યકાળમાં ચમત્કાર સામાન્ય બનાવ ન હોવા છતાં તે કાળના લગભગ બધા લેખકેને ખાત્રી હતી કે તે બનતા. સહજ પ્રશ્ન થાય છે કે તે કાળમાં ચમત્કારની માન્યતા ઘણી હતી અને હાલ કેમ નથી? તો તેને જવાબ માત્ર એટલું જ છે કે વધતા જતા સુધારાના પરિણામે મનુષ્યના મનની દશા એવી થઈ કે ચમત્કાર પરત્વે રહેલી હસ્યજનક અંધ-શ્રદ્ધા એની મેળે સરી ગઈ. ચમત્કારની માન્યતા વાદવિવાદ કે યુકિતપૂર્વક દલીલથી નષ્ટ થતી નથી, પરંતુ સુધારો અને કેળવણી વધતાં અવશ્ય એ માન્યતા અદશ્ય થઈ જાય છે, કારણ કે તે માન્યતા મનની એક દશા માત્ર હોય છે. તેથી જ ગામડીઆ અજ્ઞાન કો ભૂત પલીત અને ડાકણોને માને છે. ચમત્કારની માન્યતા એ કલ્પનાની જ એક અવસ્થા છે, અને કલ્પના સુવ્યવસ્થિત થતાં એવી માન્યતા એની મેળે રહેતી નથી. એક જંગલી અજ્ઞાન માણસ પોતાની આસપાસ જોઈ સૃષ્ટિને પ્રથમ વિચાર કરવા માંડે છે ત્યારે એને એમ છુરી આવે છે કે પોતાનો આસપાસ બનતું બધું, કોઈક પિતાની મરજી માફક કયી કરે છે. પિતાની પાસે