________________ 174 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ સત્તાથી દબાઈ ગએલું ઝાંખુ, સુરત અને ગુપ્ત પડ્યું રહે છે. તેથી આ શરીરને વશ કરવું અર્થાત દુષ્ટ મનેવિકારને નિગ્રહ કરે એ જીદગીનું પરમ કર્તવ્ય છે. મૃત્યુથી આત્મા અને શરીર તદ્દન ભિન્ન થઈ જાય છે; માટે જ મૃત્યુ અત્યંત ઈચ્છણીય છે. આમાંથી તવૃત્તિને પ્રચાર શરૂ થયે; અને અધ્યાત્મિક તવદર્શન ઉચ્ચ ગણાવા લાગ્યું. ઈશ્વરની ઝાંખી કરવી હોય તે માણસે ઈદિયજન્ય વિલાસથી તદન અળગા રહેવું જોઈએ. ઈડ્યિો સત્યની વિધી હોવાથી તેમની સત્તાને કેવળ નિમૂળ કરી નાંખવી જોઈએ. સત્યનું ઓળખાણ કરાવવા માત્ર બુદ્ધિજ સમર્થ છે. પરંતુ આ બુદ્ધિ એટલે તર્કશક્તિ એમ સમજવાની ભૂલ કરવી નહિ. વસ્તુના સામિપ્ય માત્રથી વસ્તુનું જે ભાન થાય છે તે ભાનનું નામ આ બુદ્ધિ; અને તે વિવેચના, પૃથક્કરણ, સરખામણી કે તર્કથી કાઢેલા અનુમાનથી તદન ભિન્ન છે. આ સહજ જ્ઞાનશક્તિ લાંબા અભ્યાસથી જ આવે છે. શરીરરૂપી દીવાલથી આપણુમાં ઢંકાઈ રહે તે દૈવી અંશ લાંબી અને દઢ અંતર્મુખતાથી જ જેવાઈ શકાય છે. માટે અભ્યાસથી વૃત્તિને દઢ કરી સાર્વત્રિક ચેતન (બ્રહ્મ) ની સાથે એક રસ થઈ જાઓ. આ શાંતિ, આ મેક્ષ કિવા નિર્વાણુ સદાચારની અંતિમ અવસ્થા છે. નિર્ગુણ, નિરાકાર આ એક જેને અલેકઝાંડિયાની ત્રિમૂર્તિમાં “પ્રથમ પુરૂષ” કહે છે તે જ સત્ય છે એવો આધ્યાત્મિક વિવેક મનુષ્યના વિચારની પરિસીમા છે, અને તે પ્રાપ્ત કરવા સમાધિની દશાએ પહોંચવું એ સદાચારનું શિરોબિંદુ છે. આ દિશાએ લૈટિનસ ઘણું વાર પહોંચ્યો હતો અને રિફાઇરી એક જ વખત પહોંચી શકયો હતે. તપદ્ધતિ અહીં નિરૂપયોગી છે એટલું જ નહિ પણ તે બ્રમાત્મક છે. દૈવી વસ્તુઓ પર માણસનું કામ નવુ ઉપજાવવાનું કે મેળવવાનું નથી, પણ જે છે તેને બહાર ખેંચી કાઢવાનું છે. અને શાંતિ અને દઢ નિદિધ્યાસનથી એ વાત બની શકે છે. માટે સાંસારિક દરેક બાબતમાંથી મનને વાળી લેતાં પ્રથમ શીખવાનું છે. આ વાત નવી નથી. ઘણા જમાનામાં જુદે જુદે નામે આની આ વાત કહેવામાં આવેલી છે. ગૂઢાર્થવાદ, અલખવાદ, અધ્યાત્મવાદ, પ્રેરણા