________________ 14 આવી પરિસ્થિતિમાં ખ્રિસ્તિ ધર્મ પણ રેમમાં પગભર થયે હતો અને પિતાની સત્તા અને વગ વધાર્યો જતો હતે. સમયને લાભ લઈ અને જાદાં જુદાં આકર્ષક તને પિતાના સિદ્ધાંતમાં વણ દઈ છેવટે એ સર્વોપરિપદને પ્રાપ્ત થયો અને રેમમાં અને આખા યુરોપમાં પ્રસરી ગયો. તેથી કરીને તે ધર્મની સ્થાપના કેઈપણ પ્રકારે ચમત્કારરૂપ હતી એ વાત માનવાની ગ્રંથકાર સાફ ના કહે છે. સમયના સંજોગની સાનુકૂળતા, સંસ્થાની સુઘટ વ્યવસ્થા અને નેતાઓની કાર્યદક્ષતા અને કુશળતા, અને ભિન્ન ભિન્ન આકર્ષક તને તેમણે કરેલે સ્વીકાર, ઈત્યાદિ કારણોની સામટી 1 ખ્રિસ્તિ ધર્મ દુનિયાના ઇતિહાસમાં મેટા ફેરફાર ક્યાં છે, અને હજી પણ કર્યું જાય છે. પરંતુ ખ્રિસ્તિ ધર્મના આગમનથી યુરોપની નીતિમાં જે જે પરિવર્તને થયાં છે તે હવે ચેથા પ્રકરણમાં ગ્રંથકાર કહી બતાવે છે. ખરું કહીએ તે આ ચોથું પ્રકરણજ ગ્રંથને અમૂલ્ય ભાગ છે; અને તેમાં શાર્લમેનના સમય સુધીના નૈતિક ઇતિહાસની સમીક્ષણ ગ્રંથકારે કરી છે. નીતિનાં મૂળ તે તત્વજ્ઞાન અને ધર્મ બન્નેમાં હોય છે, પરંતુ આચરણ ઉપર થતી દરેકના ઉપદેશની અસરમાં બહુ ફેર પડી જાય છે. નૈતિક ઉત્સાહ વિના આચરણની સુદઢ વ્યવસ્થા થઈ શકતી નથી, કારણ કે આ નૈતિક ઉત્સાહજ માણસને કાર્યમાં પ્રવૃત્ત કરે છે. તે મંદ હોય તે નીતિમાં પ્રવૃત્તિ પણ મંદ રહે છે. બુદ્ધિની પ્રેરણાથી જે જ્ઞાન થાય તે જ્ઞાનને આચરણમાં પ્રતીતિ કરાવનારું તત્ત્વ આ નૈતિક ઉત્સાહ છે. અને આચાર વિચારની એકતા થાય ત્યારે જ માણસને નીતિમાન આપણે કહીએ છીએ. જ્ઞાનના દર્શન માં આવું સામર્થ્ય હોતું નથી, કારણ કે તે કેવળ બુદ્ધિપ્રધાન હોય છે. તેથીજ કરીને વિધર્મીઓનાં તત્ત્વ દર્શને ભ્રષ્ટ થઈ ગએલા આચરણને સુધારી શક્યા નહિ. પરંતુ ખ્રિસ્તિ ધર્મમાં પાપનું ભાન અને પશ્ચાતાપ મુખ્ય વાત હોવાથી ખાસ કરીને નીતિભ્રષ્ટ માણસને તેમાંથી