________________ 161 વિધર્મી મહારાજ્ય આવી અધમ દિશાએ રેમના લેકે પહોંચ્યા હતા. અને જે ખ્રિસ્તિ ધર્મ એ રમતને અંત આણવા સમર્થ થ નહેત તે દુનિયાની નીતિ સંબંધી વલે શી થાત એ કહેવું અત્યારે નિરર્થક છે. પરંતુ તે સમયે જાણે કે મોહનમંત્રથી વશ થઈ ગયા હોય તેમ લેકને રમતો મોહિનીરૂપ થઈ પડી હતી; અને કલ્પનાને આકર્ષ અને ઉશ્કેરે એવાં તો પણ તેમાં ઘણાં હતાં. ઉપરાંત હિંમત અને શૈર્યને પૂર પાઠ ભજવાતે લેકે નજરે જોતા અને વિજેતા અત્યંત આબરૂ અને માન પામત. રેમની કુલીન સ્ત્રીઓ અને વખતે શહેનશાહ બાનું પણ તેના ઉપર આશક થતી. તેથી કઈ પુરૂષને તે ખેલમાં ઉતરવાની જે ના પાડવામાં આવતી, તે તે બહુ દિલગીર ચ. અમીર વર્ગ પણ તેમાં ઉતરતા. વળી ખેલમાં ઉતયાં પહેલાં સખત ઈદ્રિયનિગ્રહ ખેલાડીઓને પાળ આવશ્યક હોવાથી વિધાતાની ગહન ગતિને લીધે રેમમાં સદાચારી પુરૂષો આ ખેલાડીઓ જ રહેતા. - પિતાની નૈતિક લાગણીઓને આશ્વાસન આપવા રેમન લેકે બહાનાં બતાવવા પણ ચૂક્યા નથી. તેઓ કહેતા કે ધાર્મિક ક્રિયામાં નરમેઘ થતો તેના કરતાં આ રમત સારી. વળી ખાસ કરીને તે ધંધો કરનારા, ગુલામ ગુનેગાર કે લડાઈમાં પકડાએલા કેદીઓજ ખેલમાં ઉતરતાં અને આમાંથી કેઇના મોતને માટે દિલગીર થવાનું કારણ નહોતું. તે સમયના નીતિવેત્તાએ પણ એમ માનતા કે તે રમત જાતે ખરાબ નથી, પણ તેના ઉપર કાંઈક અંકુશ મેલવાની જરૂર છે. મૃત્યુના ખેલથી માણસનો સ્વભાવ જ ભ્રષ્ટ થઈ જાય છે એ વાત છૂટી છવાઈ કે કોઈ વ્યક્તિઓ જ સમજતી. સેનિક અને સ્કૂટાર્ક એ રમતની કેવળ વિરૂદ્ધ હતા. માર્કસ ઓરેલિયસ ખેલાડીઓને બુટ્ટી તરવારથી રમવાની ફરજ પાડતો. પરંતુ તે સમયના મહાન ઇતિહાસવેત્તાઓને પણ તેમાં નૈતિક ભ્રષ્ટતા લાગી નથી. રેમના લોકોને માણસો કોમળ અને દયાળુ જોઇતાં નહોતાં, પણ તેમને શુરવીર અને હિંમત વાન બનાવવાં હતાં, તેથી આ રમતને તેઓ વખાણતા. અને જે શહેનશાહ આ રમતને ખૂબ ચાહતે તે બહુ લોકપ્રિય યતે.