________________ . ' વિધર્મી મહારાજ્ય. * * 37 એક ચિલન હતા. મૃત્યકાળે પિતાના શિષ્યોને ભેગા કરી એણે કહ્યું કે તેની આખી જીંદગીમાં એક જ કૃત્ય એવું થયું હતું કે જેને લીધે તેને તે વખતે દિલગીરી થતી હતી, અને તે એ હતું કે મિત્રના પ્રેમની ખાતર તેનું ન્યાયનું ભાન કાંઈક આચ્છાદિત એક વખત થયું હતું. અને રામના સદાચારી પુરૂષો પણ નીતિમાં નિષ્કલંક જીવન ગાળી પરમ સંતોષથી મૃત્યુકાળે મગરૂર થઈ મરતા હતા. કેટલાક કહે છે કે આ બાબતમાં વિધમ તત્વચિંતકેની નીતિ પ્રિસ્તિ ધર્મની નીતિના જેવી જ હતી; એવી કે કેમ જાણે ખ્રિસ્તિ ધર્મની નીતિ તે નીતિના વિકાસરૂપજ હોય ! પરંતુ આ વાત જે ક ઘણું છે. સ્ટટોના ઉપદેશને લાગુ પાડીએ તે માટે અંશે સાચી છે; પણ શરૂઆતના કે મધ્યકાળના કેથલિક મત પરત્વે તે કેવળ બોટી કરે છે; કારણ કે એ બનેમાં મોટો ભેદ છે. તત્વચિંતકે મૃત્યુને કુદરતને કાયદો માનતા, સજા રૂપ માનતા નહિ. બ્રિતિ ગુરૂઓ કહેતા કે આદમના પાપને લીધે મૃત્યુ સજારૂપે દુનિયામાં આવેલું છે; અને સઘળી ઝેરી વનસ્પતિ, જડ સૃષ્ટિમાં થતા ઉત્પાત, અને સૂર્યના પ્રકાશની ઓછપનું કારણ પણ એ પાપ જ છે. તત્ત્વચિંતકે માનતા કે મોતથી સઘળા દુઃખને અંત આવે છે; શરીર ખાખ થઈ ગયા પછી શારીરિક દુઃખોની વાત કરવી એમાં મેરી મૂર્ખાઈ નહિ તે બીજું શું છે ? ખ્રિસ્તિ વૃદ્ધો કહેતા કે માણસના બહુ મોટા ભાગને મૃત્યુ પછી તરત જ ભયંકર દુઃખ અને વેદનાની શરૂઆત જ થાય છે; અને તે વેદનાની આગળ આ દુનિયાનાં દુઃખ કાંઈ ગણત્રીમાં નથી; ગમે તેવી હિંમતથી પણ તેમને તિરસ્કાર થઈ શકે એમ નથી, અને અમર પ્રાણીઓ સિવાય અન્ય કોઇ તે ખમી શકે એમ નથી. તત્ત્વચિંતકે કહેતા કે માણસે પાય ન કરે ત્યાં સુધી પવિત્ર અને નિર્દોષ હોય છે; ખ્રિસ્તિ વૃદ્ધો માનતા કે જન્મે ત્યારથી જ માણસ પાપી અને અપરાધી છે. વિધર્મીઓ કહેતા કે નાનાં બાળકે મરી જાય તેમની પછવાડે કોઈ પણ જાતની ધાર્મિક ક્રિયા કરવાની નથી, કારણ કે તેઓ સંસારના રાગ પથી રહિત હોય છે. એવા પવિત્ર આત્માઓને માટે શેચ કરવામાં પાપ