SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિધર્મી મહારાજ્ય. 135 અંત આવે છે. મત ગુલામને દુર શેઠના પંજામાંથી મુક્ત કરે છે, બંધીખાનાનાં બારણું ઉઘાડી નાખે છે, દુઃખના દાહને શાંત કરે છે, અને ગરીબાઈના તરફડીઆને અંત આણે છે. કુદરતની એ છેલી અને સર્વેત્તમ બક્ષીસ છે, કારણ કે સધળી ચિંતાથી માણસને એ મુક્ત કરે છે. ઘણામાં ઘણું તો તેથી આપણે માણેલી ઉજાણીને અંત આવે છે; સિવાય બીજું કાંઈએ નથી. મત માગો કે તેથી ભાગે, પણ તેમાં સંકટ કે દુ:ખ નથી; માત્ર આપણું અસ્તિત્વ તેના મૂળતરોમાં પાછું લય પામી જાય છે; જેને આનંદથી તાબે થવાની આપણી ફરજ છે એ આપણી પ્રકૃtતના તે કાયદો છે. સિસેરે, લૂટાર્ટ અને સ્ટોઈમિતવાળાઓના લેખ આવી દલીલથી ભરેલા છે. ઉપરાંત, પ્લેટોના અનુયાયીઓની પેઠે સિસેરે પણ આત્માના અમરત્વનું સૂચન વારંવાર કરે છે. લૂટાર્ક પણ આત્માનું અમરત્વ માને છે, પરંતુ તેના મતમાં તેનાં કારણે તાત્વિક નથી; પણ તેની આ માન્યતાને આધાર દેવ-વાણીઓની સાક્ષી ઉપર એણે રાખે છે. સ્ટઈકમતમાં આ સિદ્ધાંત મંદ અને અનિશ્ચિત પ્રકાશથી પ્રકાશે છે, અને કાર્યોત્તેજક પ્રયોજન તરીકે તેને ઉપયોગ કવચિત્ જ થયો છે અથવા થયો જ નથી. પરંતુ ખ્રિસ્તિએના ધાર્મિક સાહિત્યને છેડી વિધર્મીઓના તત્ત્વદર્શનમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે જે વાત આપણા ખાસ લક્ષમાં આવે છે તે એ છે કે કોઈ પણ રૂપે મેત શિક્ષાને પ્રકાર છે એવી માન્યતાની ગેરહાજરી ' પ્રાચીન તત્વચિંતકના લેખમાં હતી. સોક્રેટિસના મત પ્રમાણે મૃત્યુથી છવ ચેતન ઓલવાઈ જાય છે અગર તે તત્વ શરીરની ગુલામગીરીમાંથી મુક્ત થાય છેઅને બન્ને પ્રકારે તેમાં લાભ જ છે. એપિક્યુરસ કહેતા કે સારું નરસું મનની લાગણીઓને છે અને મેત થયે લાગણીઓ રહેતી નથી; માટે મૃત્યુ નિસ્પૃહ છે એમ સમજે. સિસેરેની દલીલ આવી હતી –મુઆ પછી આત્મા કાંત રહે છે અને કાંતે મૃત્યુથી નાશ પામે છે; રહેતા હોય તે તે સુખી થાય છે; નાશ પામતા હોય તે તે દુ:ખી થતો નથી. પોતાનો ભાઈ ગુજરી જતાં પિલિબિયસને સેનિકાએ આ પ્રમાણે દિલાસો આપ્યો
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy