________________ 11 મનુષ્યના સ્વભાવમાંજ ક્રિયા કરવાનું સતત્ વલણ મૂળથીજ રહેલું હેય છે, કારણ કે “જીવવું” એ પ્રાણી માત્રનું લક્ષણ છે, અને તેથી જિંદગી જાળવવાનો પ્રયાસ દરેક પ્રાણી એની મેળે જ કરે છે. તેથી કરીને મનુષ્ય જાતની છેક પ્રાથમિક અવસ્થામાં પણ સમયના સંજોગને વેગ્ય અમુક પ્રતિનું આચરણ એની મેળેજ બંધાઈ જાય છે. આ ન્યાયે રેમની છેક પ્રાથમિક અવસ્થા પ્રજાતંત્રના બંધારણમાં બંધાઈ ગઈ હતી અને આચરણ અને વ્યવહારના વિચાર અમુક દિશામાં અનાયાસે એની મેળે જ વળી જવા લાગ્યા હતા. સાર્વભોમ પદ પ્રાપ્ત કરવાને સર્જિત થએલી રેમન પ્રજા આમ અનાયાસે જ લડાયક ગુણ તરફ ઢળી ગઈ હતી. તેથી શૈર્ય અને પરાક્રમ તેમનામાં ઉચ્ચ સ્થાને આવ્યાં હતાં. તેની સાથે નીતિમાં અમુક અમુક સદીચાર પણ ઉત્તમ ગણાવા લાગ્યા હતા. સ્વદેશાભિમાન, સંકટ વેડવાની શક્તિ, આત્મ-ભોગ આપવામાં તત્પરતા, અને બુદ્ધિ અને રસજ્ઞતામાં કાંઈક જાડયતા પણ આચરણમાં પ્રતીત થવા લાગ્યાં. આવી સ્થિતિ સૈકાઓ પર્યત ચાલુ રહી. ચોતરફ દિગવિજ્ય કરી સામ્રાજ્ય સ્થાપવું એ રેમના જીવનને હવે મુખ્ય ઉદ્દેશ થઈ પડ્યું. પરંતુ તેમ કરતાં અનેક અન્ય પ્રજાઓના સંબંધમાં આવવાને પ્રસંગ તેમને પ્રાપ્ત થશે. અને તેથી તેમનાં ચારિત્ર્ય અને વિચારો ઉપર આ સંસર્ગની અનેક વિધ અસર થવા લાગી. પ્રથમ તેઓ ગ્રીક લોકેના સંસર્ગમાં આવ્યા. ગ્રીક પ્રજા તત્ત્વજ્ઞાની, વિચારશીલ, ૌંદર્ય અને કળાના ઉત્કટ ભાનવાળી, અને સ્વભાવે અને આચરણમાં એકંદરે કોમળ અને દયાળુ હતી. વળી સામ્રાજ્ય પ્રાપ્ત થતાં સમૃદ્ધિ અને સત્તા વધવા લાગ્યાં, અને તેથી રેમન પ્રજા વિલાસ-વૃત્તિને સેવનારી બનવા લાગી. તેથી રેમના સાદા અને ભવ્ય સદાચારને સ્ટઈક મત અનુકૂળ હતું તે માન્ય ગણાવા લાગે, પણ સાથે સાથે એપિક્યુરસ મત પણ તેમના જીવનમાં પડે. કાળે કરીને રેમનું જીવન છેક બદલાઈ ગયું અને પરિણામે રેમન લેકે કેવળ સ્વછંદી અને ભ્રષ્ટ થવા લાગ્યા.