________________ વિધર્મ મહારાજ્ય. 125 " , " - વળી સદાચારની મોહિની અને કર્તવ્યની લાગણીમાં સ્પષ્ટ ભેદ છે એમ પણ ઈક મતવાળા કહેતા. આનંદ કે મોજ ગમે તેવા ઉંચા પ્રકારનાં હોય તે પણ તેને કર્તવ્ય માનવાની તેઓ સ્પષ્ટ ના કહેતા. તેઓ કહેતા કે આનંદ તે આપણું જીવન સાથી છે, માર્ગદર્શક ભોમિઓ નથી. દેવે અને માના પાપની દરગુજર કરે તે પણ ડાહ્યા માણસ તે પાપ કદિ કરશે નહિ; કારણકે સજા અને શરમની ધાસ્તીને માર્યો ડાહ્યો માણસ સદાચારી નથી રહેતું, પણ સદાચાર પિતાનું કર્તવ્ય છે એમ એ સમજે છે. ચાલવાને માટે પગ કાંઈ નજરાણું માગતા નથી; તે પછી સદાચારને પણ શામાટે કાંઈ માગવું પડે? આ પ્રમાણે સ્ટઈક મતથી માણસે કીર્તિ અને લોકઅભિપ્રાયને ભોગ આપતાં શીખ્યાં અને કર્તવ્યને કોઈપણ જાતના આનંદ સાથે ખાસ નિસબત નથી એ વાત સમજ્યાં. મને વિકારને તદન નિર્મૂળ કરી નાખવા કે જેથી કરીને વિવેકબુદ્ધિનું રાજ્ય નિષ્કટક ચાલે એ આઈક મતનું બીજું મુખ્ય લક્ષણ હતું. માણસેનાં ચારિત્ર્ય મોટે ભાગે બે પ્રકારનાં હોય છે એ આપણે આગળ કહ્યું છે. એકમાં ઈચ્છાશક્તિ પ્રબળ હોય છે, બીજામાં વાસનાઓ પ્રબળ હોય છે. પ્રથમ પ્રકારના સારા માણસમાં ઇચ્છાશક્તિ સુવ્યવસ્થિત થએલી હોય છે, તેથી તે માણસ પિતાના વિકાર કે સંજોગોમાંથી ઉપજતી પ્રબળ લાલચોની સામે થઈને પણ પિતાને જે કર્તવ્ય સમજાય છે તે કર્યો જાય છે. બીજા પ્રકારના સારા માણસને સ્વભાવ સુભાએ એવો બંધાઈ ગયો હોય છે કે તેના વિકાર અને લાગણીઓ કુદરતી રીતે તેને સદાચારમાં પ્રેરે છે. આમાંથી પ્રથમ પ્રકારને માણસ જ એ છે કે જેની નીતિનાં વખાણ આપણે કરી શકીએ, અને વારંવાર આત્માને ભેગ પણ એ જ માણસ આપી શકે છે. બીજી પાસ જોતાં, કુદરતી રીતે આપોઆપ થ સદાચાર રમ્ય અને મોહક લાગે છે, અને તેવા માણસ ઉપર આપણને વાહાલ ઉપજે છે. આ બે પ્રકારના ચારિત્ર્યને અનુરૂપ કેળવણીના પણ બે પ્રકાર છે; પ્રથમ પ્રકારમાં ઈચ્છાશક્તિને દઢ કરવાને ઉદ્દેશ હોય છે અને તેનાં દષ્ટાંત પ્રાચીનકાળમાં સ્પાર્ટીની વ્યવસ્થા અને સ્ટેઈક મત છે; અને કાંઈક ફેરફાર સાથે, મધ્ય