SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 20 યૂપીય પ્રજાના આચરણને ઇતિહાસ. સંજોગમાં આમ વર હતો માટે મારે પણ તેમ કરવું એવો ઉપદેશ લે તેમાંથી ગ્રહણ કરતા હતા. * ઈતિહાસની અસર ઉત્તમ મનુષ્યનાં મન ઉપર બદલાઈ ગએલા સમયમાં પણ કેવી થાય છે એ આવી વાતે ઉપરથી સ્પષ્ટ થાય છે. એટલા માટે, રેમના સાર્વ ભૌમ રાજ્યના સમયમાં, જો કે પ્રજાના જીવનના સંજોગો છેક બદલાઈ ગયા હતા તો પણ. સ્ટઈક મત સિદ્ધાંતમાં રમના ધર્મ રૂપે રહે અને નૈતિક ઉત્સાહનું મોટું મૂળ અને નિયામક ગણાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું થોડું જ છે. એપિક્યુરસનો મત પણ વખતે બહુ પ્રસરેલું હતું, પણ તે રાજ્યને વીખી નાખનારો સિદ્ધાંત જ નીવો છે; બહુ તે, શાંત અને નિફિકર માણસોને એ ધર્મ હતે. એપિકપુરસને મત મુદ્દે નિર્દોષ હતો; અને સિનેઈક મતના જે કેવળ મેજવાદી કે ખરાબ નહ; પણ જે મતમાં સુખ, ચેન અને એશઆરામની એવડી મોટી કિંમત આંકવામાં આવતી હતી તે મત લડાયક સમયમાં ઉછરેલા અને ચારે તરફ સંકટોથી વીંટાએલા લશ્કરી લેકેને માટે કેવળ પ્રતિકૂળ અને અયોગ્ય હતે. એપિક્યુરસને મત શાંત, પહોંચેલે અને ભાવના રહિત જનહિતવાદ હતા. રામના મહાન દષ્ટિબિંદુઓ તેથી જૂદા જ પ્રકારના હતા. વળી પિતાના સુખને ભેગ આપવા રેમન લોકે સદા તત્પર હતા, પરંતુ જ્યારે સુખની તેમને વૃત્તિ થતી, ત્યારે ઘણું કરીને હલકા પ્રકારની મેજમાં તેઓ આનંદ માનતા, અને એ વાત એપિપુરસના મતથી વિરૂદ્ધ હતી. તે પણ રેમના ઈતિહાસમાં એપિયરસના મતને પણ કાંઈક કર્તવ્ય બજાવવાનું હતું, પણ તે કેવળ નિષેધક હતું. તે મતના ઉપદેશનું વલણ સ્વદેશાભિમાનની વિરૂદ્ધ હેવાથી પ્રજાકીય લામણું નાબુદ કરાવવામાં તેમને બહુ સહાયભૂત થશે, અને આ વાત સાર્વત્રિક ભેલસેલ (Cosmopolitanism) ના ઉદય માટે આવશ્યક હતી; અને વળી ધાર્મિક આસ્થા પ્રત્યે તેની સખત વિરૂદ્ધતા હોવાથી તેમના નષ્ટ થતા પૌરાણિક ધર્મ ઉપર એની પ્રબળ અસર થઈ.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy