SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 118 સૂરપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કર્તવ્યની જ બુદ્ધિવાળો, મોટે આત્મભોગ આપવાને ઉત્સુકબીજાની નિર્બળતા સહન કરી ન શકે એવે, સાધારણ વ્યવહારમાં પણ સખત અને ઝીણવટ વાળ, પ્રસંગ આવ્યે આચરણમાં દિવ્ય ભવ્યતા આચરનાર, અને પિતાના સિદ્ધાંતને તજવા કરતાં મરવું સારું એવા દઢ નિશ્ચયવાળો, હોય છે. આવા માણસને સ્ટઈક સમજવો. વળી બીજે કઈ શાંત સ્વભાવને, ચાલે છે તેમ ચાલવા દે એ, મિલનસાર, નમ્ર, ભલે, વાળાએ તેમ વળે એવો, મિત્રતાની લાગણી વાળો અને દુશ્મનને ક્ષમા કરે એવો, અંતરમાં સ્વાર્થી પણ બની શકે ત્યાં પિતાની વૃત્તિઓની તૃપ્તિ સાથે બીજાની તૃપ્તિ પણ ઈચ્છવાવાળો, ઉત્સાહમાં મંદ અને તેમને પ્રતિકૂળ, ગુહ્ય અને ગુઢ વાતોથી અલગ રહેનારેચારિત્ર્યના ઉડાણ અને આત્મભોગની શનિ રહિત, છતાં આનંદ કરવા કરાવવામાં કુશળ અને અંદગીમાં આ નદી અને ખુશમિજાજી રહે એ હેય છે. આ માણસને એપિક્યુરિયન સમજ. સ્ટેઇક આંતરવાદીને મળતો આવે છે. એપિક્યુરિયન જનહિતવાદીને મળતું આવે છે. પ્રથમ પ્રકારને માણસ સ્વાભાવિક રીતે જ આત્મસંયમને સૌથી મટે સદાચાર ગણશે, અને બીજા પ્રકારને માણસ આત્મભોગ કરતાં કમળ અને મીલનસાર ગુણેને વધારે પસંદ કરશે. આમ ચારિત્ર્ય ઉપરથી માણસના અભિપ્રાય બંધાય છે એ વાત ખરી, પણ ચરિત્ર પિતે જ દેશના સામાન્ય સંજોગોથી બંધાય છે. જે દેશના સંજોગ રસિક, ચતુર અને ઇંદ્રિયજન્ય વિલાસને વધારે અનુકૂળ હશે, તે દેશની પ્રજા સહેજે એપિક્યરસને મત ગ્રહણ કરશે. પરંતુ રોમન પ્રજાના સંગે એવા હતા કે જેને લીધે મૂળથી જ તે પ્રજા આચરણમાં ઈક નમનાને સેવનારી થઈ હતી. શરૂઆતથી જ તે પ્રજાને લડાયક થવું પડયું હતું. અને રહેવું પડયું હતું. તેથી એ પ્રજામાં લડાઈને ઉત્સાહ અને સ્વદશાભિમાન પ્રથમથી જ આવ્યાં હતાં. અને આ આચરણને અનુકૂળ આવે એવે સ્ટઈક સિદ્ધાંત તે તેમને પછી મળી ગયો. : -હવે રણસંગ્રામમાં હમેશાં આત્મ-ભાગની વૃત્તિ બહુ કેળવાય છે. લડાઈ માણસને મરતાં શીખવે છે, આબરૂ અને ઉત્સાહનાં કાર્યોથી પરિચિત રાખે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy