SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 114 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ... કેવી થાય તેનું વધારે સંપૂર્ણ વર્ણન કરવા આપણે શકિતમાન થઈશું. અને જાતિની અસરને મહાન પ્રશા છૂટાછવાયા નિરીક્ષણના ખ્યાલને વિષય નહિ રહે, પણ પ્રયોગના પાકા પાયા ઉપર પછી તેને આધાર રહેશે. આ પ્રમાણે ઇતિહાસકારના પરિશ્રમમાં તે પૂરવણી રૂપ થશે. પરંતુ આ બધું બને ત્યારે ખરું; અને તેમનું વિવેચન આ ગ્રંથમાં આવતું પણ નથી. આચરણ ઉપર બાહ્ય સંગેની અસરની રેખા દોરવી, જાદા જાદા જમાનામાં પરમ પ્રાપ્તવ્ય તરીકે આગળ ધરાએલા નૈતિક નમુનાને | તપાસી જેવા, વ્યવહારમાં કેટલે અંશે તેમનું પાલન થયું હતું તે બતાવવું, અને કેવાં કેવાં કારણોથી તે નમુના મર્યાદિત થયા, નિર્બળ થયા કે નાશ પામ્યા, ઇત્યાદિ બાબતે આ ગ્રંથના ઉદેશ છે. પ્રકરણ 2 જું. વિધમી મહારાજ્ય. , ગ્રીસ અને રોમને પ્રાચીન સુધારે યુરોપની અવાચીન પ્રગતિનું મુખ્ય મૂળ છે. પરંતુ પ્રાચીન ગ્રીસના પૌરાણિક ધર્મ નૈતિક આચરણને કોઈ પણ પ્રોત્સાહન આપ્યું નથી. હોમર ઇત્યાદિ કવિઓના ગ્રંથમાં દેવ દેવીઓની અનેક વાત કહી છે એ વાત ખરી, પરંતુ તત્વવેત્તાઓના તર્ક અને કટાક્ષ આગળ અનેક-દેવ-વાદ ટકી શક્યો નહિ, અને પરિણામે પ્રીસમાં સંશયાત્મવાદ ઉભો થયે; અને પીરોના અનુયાયીઓ કહેવા લાગ્યા કે માનુષી કે દેવી--કેઈ પણ જાતનું જ્ઞાન આપણને થઈ શકે એમ જ નથી. બુદ્ધિના વિકાસનું પ્રથમ ફળ વિચારકોને સંશયાત્મવાદી બનાવવાનું હોય છે, અને રોમના પ્રજાસત્તાક રાજ્ય અને મહારાજ્યને સમય એ અસરમાંથી મુક્ત રહ્યો નથી, ગ્રીસના સંસર્ગથી રેમમાં બે મત પડા હતા.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy