SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 110 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, સદાચારી માણસમાં ઘણી વખત નથી તે. ઔદ્યોગિક સમયના સદાચાર સત્ય અને પ્રમાણિકતા છે. સ્ત્રીઓને મૂળભૂત સદાચાર પતિવ્રત્ય છે, પણ પુરૂષોને તે ભાગ્યે જ ગણાય છે અને સ્ત્રીઓમાં પણ તે સઘળા જમાનામાં તેવો ગણાય નથી, અને કેટલાક દેશમાં હાલ પણ તે તે ગણતો નથી. દરેક જમાનાને આ મૂળભૂત સદાચાર શોધી કાઢ એ ઈતિહાસવત્તાનું અતિ અગત્યનું કામ છે, કારણ કે તેથી બીજા બધા સદાચારની પદવી નક્કી થઈ જાય છે. ઉપર જે સઘળું કહ્યું તે ઉપરથી સહજ સમજાશે કે કઈ એક ચારેયને નમુના રૂપે આગળ કરી તે પ્રમાણે ખાસ વર્તવા લેકેને કહેવું એ ઘણું જોખમ ભરેલું છે. કોઈ પાત્ર કિંવા ચારિત્ર્ય પિતાની જાતમાં ગમે તેટલું ચઢીઆનું હોય પરંતુ કોઇ એક પાત્રમાં સંપૂતાના સઘળા નમુનાને સમાવી લેવાની શક્તિ હોતી નથી; કારણકે હવે આપણે જાણીએ છીએ કે કોઈ નમુનાની સંપૂર્ણતાને આધાર જે સગુણામાંથી તે રચાય છે તેમના ઉપર હોય છે એટલું જ નહિ, પણ તે સદગુણોની ક્રમિક અગત્યતા અને વ્યવસ્થા ઉપર રહેલું છે. તેથી કરીને પિતાના જમાનાને જે નૈતિક નમુને અત્યંત જરૂર છે અને જે નમુને માણસની મોટામાં મોટી સંખ્યાને ઉપયોગી થાય છે તે નમુના પ્રમાણે બરાબર જેનું આચરણ રહે છે તે માણસ તે સમયમાં સંપૂર્ણ નીતિમાન ગણાય છે. સ્ટાઈક નીતિના નમુનામાં શૌર્યયુક્ત ગુણોની પૂજા થતી હતી, તે ખ્રિસ્તિ નમુને મિલનસાર પ્રેમી ગુણોને પૂજનીય લેખતે હ; અને ઈક મત કરતાં ખ્રિસ્તિ ધર્મ સુધારાને અધિષ્ઠાતા થવા વધારે યોગ્ય હતો તેનું આ પણ એક કારણ છે; કારણકે સમાજ જેમ જેમ વ્યવસ્થિત અને સુધરલે થતું જાય છે, તેમ તેમ આ નિડરતાને ઓછે ઓછો અને મિલનસાર ગુણોને વધારે વધારે અવકાશ મળી જાય છે. - જે નૈતિક અસહિષ્ણુતાને લીધે સઘળાં ચારિત્ર્યને એક નમુનાનાં બનાવવા માણસેએ પ્રયાસ કર્યો છે તે અસહિષ્ણુતાના ઈતિહાસની ઘટતી.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy