________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 99 -~ થશે એ પ્રશ્નના નિર્ણયને આધાર સ્થાનિક સંગે ઉપર રહેલું છે. વેપારના બહોળા પ્રવાહની બહાર રહેલા માણસમાં અને દ્રવ્યની પ્રાપ્તિ જ્યાં નિયમિત ઉદ્યોગથી માત્ર ધીમે ધીમે થઈ શકે છે ત્યાં ઘણું કરીને કરકસર આવે છે, અને જ્યાં દ્રવ્ય અને સાહસ બહોળા વિસ્તારમાં હોય છે ત્યાં સદ્દો ઘણે સાધારણ થઈ પડે છે. વળી ઔદ્યોગિક કાળમાં દીર્ધદષ્ટિ એક મેટે સદ્દગુણ ગણવા લાગે છે. ધાર્મિક આસ્થાની પ્રાથમિક દશામાં દરેક બનાવને માણસે ઈશ્વર કૃત્ય સમજતાં હોવાથી ભવિષ્યની કાંઈ પણ સંભાળ કે ચિંતા ન રાખવી એ વાતને તેઓ કર્તવ્ય અને આસ્થાનું પારખુ ગણે છે અને તેથી પિતાના ખેરાક અને વિશ્વની બાબત તેઓ ઈશ્વર ઉપર મૂકી દે છે. પરંતુ ઔદ્યોગિક સમયમાં ભવિષ્યને માટે કુશળ સાવચેતીના ઉપાય લેવા એ વાત વાજબી લેખાય છે અને તેમાં ઉંચા પ્રકારનું કર્તવ્ય મનાય છે. તેથી કરીને કુટુંબને નિર્વાહ પિતે કરી શકે એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી સારે માણસ પરણતો નથી; કુટુંબના વિસ્તારના પ્રમાણમાં તે પિતાને ખરચ રાખે છે; પિતાના દીકરાને કેળવણું આપવા અને દીકરીઓને દાયજો કરવા અને કુટુંબના દરેક માણસની જરૂરીઆત પૂરી પાડવા નાણાની જોગવાઈ એ કરી રાખે છે. આમ દીધદષ્ટિ તેના જીવનનું સૂત્ર થઈ પડે છે. અને આ એક વાતથી પણ કોઈ પ્રજાને સુધારે સારી રીતે જાણી શકાય છે. બને તેટલી સંભાળ અને અગમચેતી રાખવી અને પછી ઈશ્વર જે કરે તે સ્વીકારી લેવું એ સૂત્ર ઔદ્યોગિક કાળનું ચિહ્ન છે. આ પરિવર્તનની એક અસર એ થાય છે કે જેમ જેમ સુધારે વધતે. જાય છે તેમ તેમ મનુષ્ય જાતમાં પૂજ્ય બુદ્ધિનો વેગ કમી થતી જાય છે. જનહિતવાદમાં આ પૂજ્યબુદ્ધિનું સ્થાન બહુ તે ઘણું શંકાસ્પદ હેય છે, કારણ કે જનહિતવાદની નજર સુખના સરવાળા ઉપર હોય છે, અને ધાર્મિક વેહેમ અને રાજકીય ગુલામગીરી રૂપે આ પૂજ્યબુદ્ધિની વૃત્તિમાંથી જે મહાન અનર્થ ઉત્પન્ન થયા છે તેમને લીધે સુખ કરતાં દુઃખનું મૂળ એ વૃત્તિ કદાચ વધારે થઈ હશે. પરંતુ આ દૃષ્ટિએ