________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. આપવાની શક્તિ કલ્પનામાં રહેલી હોવાથી, આ કલ્પના શક્તિ આપણા સ્વભાવના નૈતિક અને માનસિક ભાગોને જોડનારી મુખ્ય કડી છે. દુઃખની આબેહુબ કલ્પના થાય ત્યારે જ તે દુઃખ ઉપર આપણને દયા ઉપજી શકે છે, અને આ તાદસ્યતાના પ્રમાણમાં ઘણું કરીને આપણું દયાની પ્રબળતા. હોય છે. આપણી નજર સમુખ બનતા મૃત્યુના પ્રસંગથી આપણને જેટલી દયા ઉપજશે તેટલી દયા અમેરિકામાં થએલા ધરતીકંપથી આપણને ઉપજશે નહિ. મુખ્યત્વે કરીને આ જ કારણને લઈને કોઈ પ્રસિદ્ધ ગુનેગારને મતની સજા થાય ત્યારે ઘણું કરીને આપણને અત્યંત દયા ઉપજે છે; આ જ કારણને લીધે રાજાઓની બાબતમાં આપણને પ્રેમ અને ઉત્સાહ રહે છે. અને ઐતિહાસિક ફેંસલા આપવામાં અનેક પ્રકારની સ્પષ્ટ અસંગતતા આપણે બતાવીએ છીએ. એલકઝાંડર કે સીઝર જે મોટા માણસ લાખોને ગુલામ બનાવે છે અને હજારેને રેસી મારે છે એ વાત ભૂલી જઈ ટા છવાયા તેના કોઈ ઉદાર કાર્ય ઉપર આપણી નજર કરે છે. ઈતિહાસના મોટામાં મોટા કરૂણાજનક બનાવે સાદી અને નિર્બળ ભાષામાં લખાયા હોય તો તેની અસર આપણને લગભગ થતી નથી. હજારો માણસોને નેપલિયને ખુવાર કર્યા હતા એ વાત ભૂલી જઈ સેંટ હેલિનામાં કેદી તરીકે પિતાના દારેગાની સામે કેવી કેવી કર્કશ ફરિયાદ તે કરતો હતો એ ઘણું ખરા માણસોની કલ્પનામાં ભમ્યા કરે છે. આપણા સ્વભાવની નિર્બળતા એવી છે કે જંગીઝખાને કે તૈમરે દુનિયામાં કરાવેલી રડારોળ કરતાં એક બંદીવાન રાજપુત્રીનાં આંસુથી કે કોઈ ખાનગી જીવનનાં એકાદા નિર્જીવ પ્રસંગથી આપણે વધારે ઉશ્કેરાઈ જઈએ છીએ. આપણુ શુભેચછાની વૃત્તિઓ ઉપર કલ્પનાની આવી સત્તા ચાલતી હેવાથી, સ્પષ્ટ છે કે વસ્તુને તાદસ્ય કરી આપતી આ શક્તિનાં સત્તા અને વિસ્તાર જે સંજોગોથી વધે તે સંજોગો મીલનસાર સદ્દગુણને અનુકૂળ આવે છે અને કેળવણીથી ઘણે મેટે અંશે એ વાત બની શકે છે એ પણ સ્પષ્ટ છે. અન્ય જ્ઞાતિઓ, પ્રજાઓ, બીજાના વિચાર અને બીજાનું જીવન બીન કેળવાયેલા માણસની કલ્પનામાં ઉતરતાં નથી, પરંતુ જેમ જેમ એના જ્ઞાનની વૃદ્ધિ થતી