SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 78. યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ અને રેલવે કમાય છે. ધંધા રોજગાર અને કારીગીરીને પણ ઉત્તેજન મળે છે. બીજી રીતે જોઈએ તો તેમાં હાનિ પણ ઘણી છે. ટાઢ તડકાથી માણસે હેરાન થાય છે. વખતે કોલેરા પણ ફાટી નીકળે છે. ચેરી અને વ્યભિચારની તક માણસોને મળે છે અને વખતે થતા પણ હશે. ઉપલે ધર્મવાદી કહેશે કે આ એક કારણને લીધે જ એવા મેળા બંધ કરવા જોઈએ; પણ એ વાત લેકેને રૂચશે નહિ. આમ આ મેળામાં લાભ અને ગેરલાભ બને સમાએલા છે; અને તે માનસિક, શારીરિક કે નૈતિક હોય છે. ઘણું કરીને બધા નીતિશાસ્ત્રીઓ કહેશે કે અનીતિના થોડાક દાખલાઓને લીધે એવા મેળાવડા બંધ પાડવા વાજબી નથી. આવડે મેટે માણસને સમૃદ્ધ ભેગા થાય ત્યારે એવા થોડાઘણા દાખલા તે બને જ, અને તેની સંભાળ પિલિસ રાખશે. એકંદરે તેમાં હાનિ કરતાં લાભ વિશેષ છે. પરંતુ આ લાભ હાનિને ત્રાજવામાં તળી એકંદરે તેમના નફા તટાનો સ્પષ્ટ હિસાબ બતાવી આપે એવો કોઈ કાંટો જનહિતવાદી બતાવી શકે એમ નથી. આ ઠેકાણે સૈતિક લાભ કરતાં નૈતિક ગેરલાભ વધી જાય છે એવી સ્પષ્ટ લીટી દોરવા પોતે અસમર્થ છે એ વાત આંતરવાદી કબુલ કરે છે. બેન્યામના સૂત્રોમાંથી પણ આ હદ કેમ બાંધી શકાય છે એ સમજાતું નથી. માત્ર સંખ્યાની ગણત્રીથી આ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે એમ બેલવામાં માત્ર સાહસ જ છે. પિતાના સદાચારના નાશથી થતી એક સ્ત્રીની પાયમાલી અને બીજી સ્ત્રીના આખા દિવસને આનંદ-આ બેને એક કાંટે તળવાને દુરાગ્રહ જનહિતવાદી નહિ જ કરે. તેથી આવી બાબતમાં તેમના ભેદની સ્પષ્ટ લીટી દોરવાની અશક્યતા જે દોષ હોય તે તે દેષ આંતરવાદ અને જનહિતવાદ બન્નેને સમાન છે. હવે સ્વાર્થ અને સદાચારને શું સંબંધ છે તે આપણે ટૂંકામાં જોઈએ. જનહિતવાદને બે જાતના લાભ સાથે સંબંધ છે. વ્યક્તિને લાભ અને સમાજને લાભ. પ્રથમ જાતને લાભ સઘળા સદાચારનો અંતિમ ઉદ્દેશ છે; બીજો લાભ સદાચારને છેવટ હેતુ છે. આંતરવાદી કહે છે કે સ્વાથી - સદાચારી કે શાબાશીવાળું છે શકે નહિ. એક માણસ ચોરી કરવા
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy