________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ, વળી કેટલીક વખત આપણી નૈતિક વૃત્તિને સ્પષ્ટ આંચકો લાગે એવી વાત પણ ધર્મની શ્રદ્ધાને લીધે માણસે માને છે. કેટલીક વખત બુદ્ધિને પણ આ આંયકે લાગે છે. ઘણુંખરા ખ્રિસ્તિઓ વિશ્વાસપૂર્વક માને છે કે અમુક રાત્રીએ વાળુ કરતાં ઈશુખ્રિસ્ત પિતાનું શરીર પિતાના હાથમાં લીધું, તેના કકડા કરી પિતાના અનુયાયીઓને એણે વહેંચી આપ્યા, અને ચેલાઓ તે ખાવા લાગ્યા; છતાં તે જ શરીર એ જ વખતે સાજું તાજું મેજ પાસે બેઠેલું હતું અને તુરત જ ગેથેલેમન નામના બગીચામાં ગયું. આવો વાતમાં અસંગતતા લાગવા છતાં ધર્મમાં શ્રદ્ધા રાખી માણસે એ માને છે. એ જ પ્રમાણે જે છોકરાઓને જળ-માજન (Baptism) ની ક્રિયા થઈ ન હોય તે નિરંતર નરકમાં સડ્યાં કરશે એ ઓગસ્ટાઈનને સિદ્ધાંત પણ એવો જ છે. તરતનું જન્મેલું બાળક કે જે જળ-માર્જન પાખ્યા વિના ગતપ્રાણ થાય તે બાળક, છ હજાર વર્ષો પૂર્વે પિતાના વડવાઓએ કરેલા આજ્ઞા-ભંગને માટે નરકમાં જાય એ વાતથી આપણે નીતિના વિચારને જબરે આંચકો લાગે છે, અને જે પ્રભુ એવાં બાળકોને દુખ દેવા જ ઉપજાવે છે તેની નીતિ અને દયાને માટે તેથી વિચિત્ર વિચાર આપણને ઉપજે તો તેમાં નવાઈ નથી. આવા પ્રભુની ક્રૂરતા કેટલી કહેવાય ? આવા સિદ્ધાંત ઉપર નીતિના સ્વભાવ–સિદ્ધ પ્રત્યક્ષને સિદ્ધાંત ટકી શકે જ નહિ; કારણ કે આ ક્રૂરતા આગળ માનુષી ક્રૂરતાને હિસાબ નથી. પરંતુ સુભાગ્યે ધર્મના જે ઝનુનીઓ ધર્મને આ સિદ્ધાંત માને છે, તે અન્ય બાબતોમાં તે નૈતિક પ્રત્યક્ષને સિદ્ધાંત સ્વીકારે છે અને નીરની ક્રૂરતાને ધિક્કારી વખોડે છે. આમ ધર્મ અને નીતિમાં કેટલીક વખત વિરોધ હોય છે. - આ વિધ ધાર્મિક જુલમમાં સ્પષ્ટ થાય છે. ધર્મ-ભ્રષ્ટતા અને પાખંડને નામે કેથલિક ધર્મના અનુયાયીઓએ હજારોને સંહાર કર્યો છે અને હજારેને જીવતા બાળી મૂક્યા છે. આ બાબતમાં તેમના દુરાગ્રહી સિદ્ધાંતની કેવળ અનીતિમાન પ્રતિજ્ઞાન જે સ્વીકાર કરવામાં આવે, તે તેમાંથી નીકળતા અનુમાનને નીતિમાન અને યુક્ત કહેવું જ પડે; જ્યાં