SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. બેમાંથી એક જાતના આનંદમાં પરિણમે ઓછામાં ઓછી એજ છે એમ જે જાણે છે, છતાં તે ઉચ્ચ છે એમ સમજીને જે માણસ પરિણામની દરકાર રાખ્યા વિના જાણું બુજીને તે પસંદ કરે છે તે માણસ કાંતિ વિવેકહીન છે અને તે વિચારના એવા સિદ્ધાંત ઉપર તે ચાલે છે કે જેને ખુલાસો “વધારેમાં વધારે સુખ” વાળા જનહિતવાદથી થઈ શકતા નથી. જનહિતવાદ પ્રમાણે તે આપણા સ્વભાવના જે ભાગથી કે વિચારે અથવા લાગણીના જે પ્રદેશથી સુખ વધારે મળે તે ઉચ્ચ અને ઓઈ મળે તે નીચ. પણ સુખમાં જાતિ-ભેદને સ્વીકાર કરીએ તે “ઉચ્ચ શબ્દને અર્થ જ ફરી જાય છે, કારણ કે પછી તે એમ જ કહેવું પડે કે આપણું સ્વભાવને એક ભાગ ઉચ્ચ હોવાથી ઉચ્ચ છે અને બીજે નીચ હોવાથી નીચે છે. અને આપણું જીવનની આ ઉચ્ચતા અને નીચતા આપણને સ્વભાવસિદ્ધ અને અંતરમાં પ્રત્યક્ષ છે એ વાત આંતરવાદીના સિદ્ધાંતમાં મુખ્ય છે. તેથી જ આંતરવાદીઓ કહે છે કે આપણું નૈતિક અને માનસિક જીવન ક્રિય જીવન કરતાં ઉચ્ચ છે, સ્વાર્થ કરતાં પરોપકાર ઉત્તમ છે; અને આપણા જીવનના બીજા ભાગ ઉપર મને દેવતાનો અધિકાર છે એમ બોલવામાં અમે ભ્રમજનક, તુરગી કે અવનવી વાત કરતા નથી, કારણ કે એ વાત એવે રૂપે આપણને અંતરમાં પ્રત્યક્ષ થાય છે અને તે યથાસ્થિત છે એમ તેઓ કહે છે. આંતરવાદની સામે બે આક્ષેપ મૂકાય છે. એક તે, આપણી બધી નૈતિક મનોવૃત્તિઓ ઉપયોગિતાના વિચારમાં પર્યવસાન પામી શકે છે. આ આક્ષેપ પર આગળ આપણે બહુ કહ્યું છે. બીજો એ છે કે જમાને જમાને અને પ્રજા પ્રજામાં આ મનોવૃત્તિઓ ભિન્ન ભિન્ન માલમ પડેલી છે અને નૈતિક શકિતની કલ્પનાથી આ વિવિધતાને તદન ખુલાસો થઈ શકતો નથી. આ ભ્રમ ભાંગવો ઈએ તેથી, અને આચરણના ઇતિહાસમાં થવું જોઈએ.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy